________________
આત્મહિત અને જીવાદિતત્ત્વનો વિચાર હોય તે ભાવ જ વિશુદ્ધિ-લબ્ધિ છે. કષાયો મંદ થવાથી વિશુદ્ધિ-લબ્ધિ થાય છે.
(૩) દેશના-શ્રવણ-લબ્ધિ : ઉક્ત ભાવ દ્વારા જીવને મોક્ષમાર્ગમાં પરિણત આચાર્ય આદિ સદ્ગુરુનો યોગ તથા સર્વજ્ઞ કથિત, ગુરુ-ઉપદિષ્ટ છ દ્રવ્ય અને જીવાદિ નવ પદાર્થ રૂપ તત્ત્વોપદેશને ગ્રહણ-ધારણ કરવાની જે શક્તિ પ્રાપ્ત થાય-તે દેશનાશ્રવણ-લબ્ધિ છે.
એટલા જ પ્રમાણવાળો પડશે. કેટલીક પાપ-પ્રકૃતિઓનો બંધ અટકી જાય છે અને અશુભ કર્મપ્રકૃતિનો રસ (અનુભવ) પણ ઘટી જાય છે. માત્ર બે સ્થાનિક રસમાં અવસ્થિત થઇ જાય છે. આવી અવસ્થા પ્રગટ થવી તે પ્રાયોગ્ય-લબ્ધિ છે.
આ લબ્ધિ જિનવચનની ગાઢ રુચિ સ્વરૂપ હોય છે. તે જેમ સદ્ગુરુના ઉપદેશથી થાય છે, તેમ ઉપદેશ આદિ નિમિત્ત વિના પૂર્વભવના તથાસંસ્કા૨નાબળેભવપ્રત્યયરૂપ પણ હોય છે તથા નરકાદિ ગતિમાં તે પૂર્વસંસ્કારથી જ હોય છે.
આ ચાર લબ્ધિઓ ભવ્ય અને અભવ્ય બંનેને પ્રાપ્ત થઇ શકે છે. તેમાં ભવ્ય જીવને શ્રદ્ધાદિ ગુણની પરિણતિ રૂપ વિશિષ્ટ પરિણમન થઇ શકે છે, જેમ મગના દાણામાં સીઝવાની યોગ્યતા હોય છે, તેથી તે ક્રમશઃ સીઝીને પિરપક્વ બને છે-તેમ ભવ્ય જીવ શ્રદ્ધાદિ ગુણને પરિપક્વ બનાવી મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય જીવનું સત્તાએ સિદ્ધ સદેશ સ્વરૂપ હોવા છતાં કોરડું મગના દાણાની આ તત્વોપદેશનું ગ્રહણ જીવને જેમ તેને તેવા પ્રકારની શ્રદ્ધાદિ ગુણોની
પરિણતિ થતી નહીં હોવાથી કર્મક્ષય કરીને તે મુક્ત બની શકતો નથી.
ભવાટવીમાં તથા તેની તત્ત્વજિજ્ઞાસાને શાન્તિ પ્રદાન કરનાર છે, તેનાથી તેને સ્વાત્મ સ્વરૂપમાં એકાગ્રતા ઉત્પન્ન કરવાનો ભાવ જાગે છે.
(૪) પ્રાયોગ્ય-લબ્ધિ : જીવ પોતાના સ્વરૂપનું પરોક્ષજ્ઞાન મેળવીને તેના પ્રગટીકરણ માટેનો ભાવ કરે છે, સંકલ્પ સાથે તે દિશામાં પુરુષાર્થ સન્મુખ બને છે, ત્યારે જીવની કર્મસત્તાની સ્થિતિ ક્ષય પામીને અન્તઃ કોડા-કોડી સાગર પ્રમાણ જ શેષ રહી જાય છે. હવે જે નવીન બંધ પડશે તે પણ આવા વિશુદ્ધ ભાવોને લઇને
આ ચાર લબ્ધિઓ પ્રાપ્ત થયા પછી પણ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થઇ જ જાય એવો નિયમ નથી. આ ચાર લબ્ધિઓમાં ક્રમશઃ તત્ત્વવિચાર વિકસતો જાય છે, છતાં તત્ત્વવિચારકને સમ્યક્ત્વ પ્રગટ થઇ જાય તેવો નિયમ નથી, કેમ કે વિપરીત વિચાર ઉત્પન્ન થવાના કારણે કે ભિન્ન વિચારોમાં અટવાઇ જવાના કારણે, તત્ત્વની પ્રતીતિ અને તત્ત્વનો નિર્ણય ન પણ થાય એ સંભવિત છે. તો આ
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૧૦