________________
પૂ. સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી મહારાજે ‘યોગક્વિંશિકા'માં યોગનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે 'मोक्खेण जोयणाओ जोगो' ‘આત્માને મોક્ષ સાથે જોડી આપનાર સર્વ પ્રકારના જ્ઞાનાદિ આચાર - એ સામાન્યતઃ ‘યોગ’ છે અને વિશેષતયા યોગના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે
(૧) વર્ણ-યોગ, (૨) સ્થાન-યોગ, (૩) અર્થ-યોગ, (૪) આલંબન-યોગ અને (૫) અનાલંબન-યોગ.
-
પ્રથમના બે યોગ ‘ક્રિયાત્મક’ છે અને પછીના ત્રણ યોગ ‘જ્ઞાનાત્મક’ છે. સ્થાનાદિ યોગની વ્યાપકતા
‘ચૈત્યવંદન’ આદિ પ્રત્યેક ધર્માનુષ્ઠાનોમાં સ્થાનાદિ યોગોનો યથાસ્થાન પ્રયોગ કરવામાં આવે, તો જ તે અનુષ્ઠાન વિધિપૂર્વક થયું ગણાય અને એ રીતે વિધિપૂર્વક આરાધેલા અનુષ્ઠાનના ફળ રૂપે સાધકને જીવનમાં ચિત્તની નિર્મળતા-પ્રસન્નતાનો અનુભવ થાય છે. તેમજ અનુક્રમે સદ્ગતિ અને સિદ્ધિ-પદ પણ પ્રાપ્ત થાય છે.
જેમકે ચૈત્યવંદન’ કરતી વખતે મુખથી સૂત્રોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરવું, બંને હાથ ‘યોગમુદ્રા'એ વ્યવસ્થિત રાખવા, મનથી સૂત્રોના અર્થનું ચિંતન
કરવું અને દૃષ્ટિ પ્રભુ-પ્રતિમા આદિના આલંબનમાં સ્થિર કરવી.
આ રીતે સ્થાનાદિ યોગના પ્રયોગ પૂર્વક જ સર્વ અનુષ્ઠાનો કરવાથી તેના દ્વારા જીવનમાં ચિત્ત-શાન્તિ આદિ અનેક મહાન લાભો પ્રાપ્ત થવા સાથે વાસ્તવિક આત્મવિકાસ થાય છે.
આ સ્થાનાદિ પાંચ ભેદો ‘ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરત્વ અને સિદ્ધિ’ના ભેદથી વીસ પ્રકારના છે.
આ રીતે યોગના વીસે પ્રકારો પણ ‘પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ' અનુષ્ઠાનયુક્ત બને છે, ત્યારે યોગના કુલ એંસી પ્રકા૨ો થાય છે. કહ્યું છે કે
प्रीतिभक्तिवचोऽसंगैः स्थानाद्यपि चतुर्विधम् । तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ॥
જ્ઞાનસાર : યોગાષ્ટક; શ્લો. ૭ અર્થ : પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ વડે સ્થાનાદિ પ્રત્યેક યોગ ચાર પ્રકારના છે. તે યોગના અભ્યાસથી અનુક્રમે ‘અયોગી-અવસ્થા’ પ્રાપ્ત થાય છે અને તેના વડે ‘મોક્ષ-પદ' મળે છે.
આ બધા પ્રકારો ‘પ્રતિપત્તિ’રૂપ ભાવપૂજામાં અંતર્ભૂત હોવાથી ‘નો’ પદથી સૂચિત થાય છે.
૧. કોશાકારે બંને હાથ ભેગા કરી, પરસ્પર દશે આંગળીઓ પરોવી અને હાથની બંને કોણીઓને પેટના મધ્ય ભાગ ઉપર સ્થાપિત કરવી - તે ‘યોગમુદ્રા' છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૦