SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર-પાંચ કલાક પછી બારણે ટકોરા પડ્યા. અવાજ આવ્યો : ‘દરવાજો ખોલ.' હું સમજી ગઇ : આ પતિનો જ અવાજ છે. પણ હવે હું કાંઇ દરવાજો ખોલું ? ‘ભલી થા અને દરવાજો ખોલ. હું મોડો આવ્યો તેમાં મારો દોષ નથી. રાજાએ મને રોકી રાખ્યો તો હું શું કરી શકું ? પરાધીન માણસ પર આ રીતે ગુસ્સો ન કરાય. જરા ડાહી થા.' પણ હું કાંઇ ડાહી થાઉં ? ખરેખર તો મારા પતિને (મંત્રીને) રાજાએ જાણીને રોક્યા હતા. મંત્રી રોજ વહેલા-વહેલા ઘેર કેમ જતા રહેતા હતા, તે રાજા જાણી ગયો હતો. માટે જ રમૂજ ખાતર આવું કર્યું હતું. પણ હું તો આવું કશું જ વિચારવા તૈયાર હોતી. રાજા, બાળક અને યોગીની હઠની જેમ સ્ત્રીની હઠ પણ ભયંકર હોય છે. સામાન્ય સ્ત્રી પણ પોતાની હઠ ન મૂકે તો હું શાની મૂકું ? હું તો વટનો પહાડ! મારા પતિએ બારણાં બહુ ખટખટાવ્યા એટલે મેં દરવાજો ખોલ્યો તો ખરો, પણ એમની નજર ચૂકવીને હું ભાગી નીકળી. આગળ-પાછળનો કોઇ જ વિચાર કર્યા વિના હું ચાલી જ નીકળી. ગુસ્સાની આગ સાચે જ ખતરનાક હોય છે. તમે કલ્પના તો કરો : મધરાતે અંધારામાં યુવાન સ્ત્રી દાગીના પહેરીને એકલી બહાર નીકળે તો શું થાય ? તમે જે કલ્પી શકો છો, એ જ મારા જીવનમાં ઘડ્યું. મને ચોરોએ પકડી લીધી. મને તેઓ પોતાના માલિક પલ્લીપતિ પાસે લઇ ગયા. પલ્લીપતિને જોઇને હું તો ધ્રુજી ઊઠી. કાળું ભમ્મર ભરાવદાર શરીર ! કાળું એટલે કેવું કાળું ? જાણે કોલસા પર તેલ ચોપડ્યું હોય તેવું ! લીંબુના ફાડ જેવી મોટી-બિહામણી આંખો ! ભૂંડ જેવા ઊભા વાળ ! એની આંખોમાં મને વિકારના સાપોલીયા રમતા દેખાયા. હું અત્યારે અસહાય દશામાં હતી, છતાં સ્વસ્થ ઊભી રહી. - પલ્લીપતિએ મારો હાથ પકડવા પ્રયત્ન કર્યો. ફટ... કરતી હું દૂર ભાગી ગઇ. તેની ઇચ્છા હું સમજી ગઇ. તેને સ્પષ્ટ રીતે કહી દીધું : આત્મ કથાઓ • ૧૨૦ મહાનુભાવ ! સાંભળી લો. તમે મારા જીવતા મારો સ્પર્શ નહિ કરી શકો, જો તમે કોઇ એવો પ્રયત્ન કરવા ગયા તો સમજી લેજો કે મારી લાશ જ તમારા હાથમાં આવશે.' મારી શૌર્યભરી વાણી સાંભળી પલ્લીપતિ ધ્રુજી ઊઠ્યો. તમે એવું ન માનતા કે હું ક્રોધી અહંકારી હતી, એટલે કુલટા પણ હોવાની. ના... રખે એવું માનતા. શીલા એ તો મારું સર્વસ્વ હતું. બધું લૂંટાવા દઇને પણ હું શીલ-રક્ષા કરવા તત્પર હતી. શીલ માટે હું પ્રાણોનું બલિદાન આપવા તૈયાર હતી. શીલ ગયા પછી જીવતરનો અર્થ શું ? શીલ એ જ પ્રાણ છે. એ ગયા પછી રહ્યું શું? મારી આ દૃઢ માન્યતા હતી. મેં પલ્લીપતિને શીલના મહિમા વિષે એક વાત કહી. કોણ જાણે કેમ ? પણ એ વાર્તાનો એના પર એવો પ્રભાવ પડ્યો કે મને એણે શીલ રક્ષા માટે અભયદાન આપ્યું. તેણે મને એક માણસને વેંચી દીધી. હા... હું પશુની જેમ વેંચાઇ ! તેણે વળી બર્બર કુળના કોઇ માણસને વેંચી. બર્બર કુળમાં મને ત્રાસ પડવા શરૂ થયા : એ માણસે શરૂ-શરૂમાં તો મને પત્ની બનાવવાના ઘણા પ્રયાસો કર્યા, પણ હું એકની બે ન થઇ, એટલે એને જોરદાર દાઝ ચડી. મારા શરીરમાંથી લોહી કાઢી-કાઢીને કપડાં રંગવા લાગ્યો. મનુષ્યના શરીરમાંથી લોહી કાઢી કપડાં રંગવાનો તેનો ધંધો હતો ! રોજ મારા શરીરમાંથી લોહી કાઢે અને રોજ મારા ઘા ઔષધિથી રૂઝવી દે ! હું દિવસે-દિવસે દુબળી થવા લાગી. મને એણે ઘણી વાર કહ્યું : ‘તું જો મારી પત્ની બને તો આ દુઃખોથી હમણાં જ છોડી દઉં !' પણ મેં સુંવાળો લપસણો માર્ગ પસંદ ન કર્યો, હું તો કાંટાની કેડી પર જ ચાલવા લાગી. મરી જવાની પણ મારી તૈયારી હતી, ત્યાં લોહી કાઢવાની વેદનાની તો વાત જ ક્યાં ? મારા હૃદયમાં વિશ્વાસ હતો : દરેક રાતના અંતે પ્રભાત આવે છે. દરેક પાનખરના અંતે વસંત આવે છે. દરેક દુઃખના અંતે સુખ આવે છે. કોઇના દુઃખો કદી એવા તો નથી જ હોતા કે, જેનો કદી છેડો જ ન આવે ! આત્મ કથાઓ • ૧૨૧
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy