________________
ર
गुजरातना ऐतिहासिक लेख
નં૦૭
૧ ક્ષત્રપ રૂદ્રસિંહના સમયને ગુદામાંના લેખ વર્ષ ૧૦૩
કાઠિયાવાડના પંડિત વલ્લભાચાર્ય હરિદત્ત (વલ્લભજી હરિદત્ત આચાર્યે ) આ લેખની હાથે કરેલ નકલ તથા તેનું અક્ષરાન્તર પ્રસિદ્ધ કરવા સારૂ મેજર વાટસને બુદ્ધુર પાસે મૂકેલાં. તેના ઉપરથી લેખ ઇન્ડીયન મેન્ટિકવેરી વાલ્યુમ ૧૦ પાને ૧૫૭ મે યે ખુન્નુર ૧૮૮૧ માં ભાષાન્તર સાથે પ્રથમ પ્રસિદ્ધ કર્યો હતા.
મેજર વાટસને ૧૮૮૦ માં ઉત્તર કાઠિયાવાડમાં હાલાર પ્રાંતમાં આવેલ ગુંદાના એક પુસણા અને પડી રહેલા ફૂવામાંથી આ લેખ શેધી કાઢયા હતે. રાજકાટના વોટસન મ્યુઝીયમ એક્ એન્ટિવિટિઝમાં લઈ જતાં પહેલાં તે જામનગરમાં દ્વારકાનાથના મંદિરમાં રાખ વામાં આવ્યા હતા.
લેખમાં સારી રીતે કતરેલી પાંચ પંક્તિ છે. લખાણમાં લગભગ ૨ ફૂટ ૨ ઇંચ પહાળી તથા ← ઇંચ ઉંચી જગ્યા રાકાયેલી છે. એકંદર લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. એ કે કાઇ કાઇ સ્થળે એકાદ શબ્દ ભૂંસાયેલ છે. ન્, મ, પૂ, તથા મૂ જેવા અક્ષરનું સરાસરી કઈ ?” છે.
લેખ રુદ્રસિંહ( રુદ્રસિંહના સમયના છે અને નીચે પ્રમાણે તેની વંશાવલિ આપે છે
રાજા અને મહાક્ષત્રપ ચાઇન, તેને પુત્ર ક્ષત્રપ રાજા જયદામન, તેના પુત્ર મહાક્ષત્રપ રાજા રુદ્રદામન, તેને પુત્ર ક્ષત્રપ રાજા રુદ્રસીંહ, ( રુદ્રસિંહ )-આ પ્રમાણે આ કુળની વંશાવળી છે, પણ તે રાજવંશાવળી નથી, અને તેટલા જ માટે ચાઇન અને રુદ્રસિહુ વચ્ચેના કેટલાક રાજાઓએ શજ્ય કર્યું હતું. છતાં એક જ વંશના ન હોવાને લીધે તેએનાં નામ આપવામાં આવ્યાં નથી. લેખ ઉપરની તિથિ શબ્દ અને આંકડાએમાં વર્ષ ૧૦૩ ના રાહુણી નક્ષત્રમાં વૈશાખ શુદ પ ની આપવામાં આવી છે. આ લેખમાં લખેલ વર્ષે શક સંવતનું છે, એ નિઃશંક વાત છે, એટલે તેઈ. સ. ૧૮૧ માં લખાએલા ગણાય. રુદ્રસિંહ પ્રથમ ક્ષત્રપ તરીકે ૧૦૨-૩ માં રાજ્ય કરતે હતા, પછી ૧૦૩ થી ૧૧૦ સુધી મહાક્ષત્રપ તરીકે ત્યાર બાદ ક્રીથી ૧૧૦ થી ૧૧૨ સુધી ક્ષત્રપ તરીકે અને છેવટે ૧૧૩ થી ૧૧૮ ( અગર ૧૧૯ ) સુધી મહાક્ષત્રપ તરીકે રાજ્ય કરતા હુંતે, એમ તેના સમયના સિક્કા તથા ગાયા ઉપરથી માનવાને કારણું મળે છે. આ ઉપરથી તે ક્ષત્રપ તરીકે પ્રથમ રાજ્ય કરતા હતા તે સમયના આ લેખ છે, એમ માનવું જોઈએ. તેજ રાજ્યના વહેલામાં વહેલે સમય કનીંગહ્રામના સંગ્રહના સિક્કાઓ ઉપરથી ૧૦રનું વર્ષ છે એમ માલુમ પડે છે.
સેનાપતિ બાપટ, આભિરના પુત્ર સેનાપતિ રુદ્રભૂતિએ રસેાપદ્ર નામના ગામડામાં કરાવેલ કૂવાનું ખેદ કામ તથા બાંધકામનું વર્ણન આપવાને હેતુ આ લેખને છે. આ વર્ષોંનમાં સ્થળ ફકત રસેપ્દ્ર જ આપવામાં આવ્યું છે. અને તે પણ હજી સુધી એળખવામાં આવ્યું નથી.
* એ. ઈ. વે. ૧૯ પા. ૨૩૭ બેનરજી અને સુર
"Aho Shrut Gyanam"