SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૂનાગઢમાં ખડક ઉપર રુદ્રદામનને શિલાલેખ વર્ષ હર મું કાઠિયાવાડમાં જૂનાગઢ શહેરથી પૂર્વમાં આશરે એક માઈલ છેટે ગિરનારના રસ્તા ઉપર જે ખડક ઉપર અશોકનાં શાસન અને ગુપ્તવંશી રાજા સ્કન્દગુપ્તનો શિલાલેખ છે તે ખડકની પશ્ચિમ બાજુએ મથાળાના ભાગમાં આ લેખ કેરેલે છે. ૧૧ ફુટ ૧ ઇંચ પહોળાઈ અને ૫ ફૂટ ૫ ઇંચ ઉંચાઈવાળી જગામાં સાદી કેરેલી ન્હાની માટી વીસ પંક્તિને આ લેખ છે, છેલી ચાર પંક્તિ માત્ર સુરક્ષિત છે, જ્યારે બાકીની બધી પંક્તિઓને અમુક અમુક ભાગ ઘસાઈ ગયા છે. એકંદર લેખની લંબાઈ ૧૯૦૦ ઈંચ ગણુતાં ર૭૫ ઈંચ જેટલા ભાગ એટલે કે આખા લેખન છે ભાગ નષ્ટ થએલ છે, બાકિીના ભાગમાં અક્ષરશે સુરક્ષિત છે અને નિઃસંશય વાંચી શકાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ ઇંચ છે. છે. ફલીટના મત અનુસાર લેખની લિપિ તે જ ખડક ઉપરના સ્કન્દગુપ્તના લેખની દક્ષિણ બાજુની લિપિના પૂર્વ રવરૂપ જેવી છે. ભાષા સંરત છે અને લેખ આ ગદ્યમય છે. લેખની ઇબારત સાદી અને સરળ છે. જે સુદર્શન તળાવ પાસે લેખ કેતરાએલે છે તેને મહાક્ષત્રપ રુદ્રદામાએ દુરૂસ્ત કરાવ્યું તે સેંધવાનૅ આશય લેખમાં છે. - પંડિત ૧-૩ માં તળાવની અત્યારની ઉત્તમ સ્થિતિનું વર્ણન છે. પં. ૩-૭ માં દામનના સમયમાં તે તુટ્યાની હકીકત છે. બધું પાણી નીકળી જવાથી સુદર્શન દુદર્શન થયાનું વર્ણન ૫. ૭-૮ માં છે. મૈર્ય ચન્દ્રગુપ્તના સમયમાં બંધાયું અને મૈય અશેના સમયમાં પૂર્ણ શાએ પહોંચ્યાનું ૫ ૮-૯ માં વર્ણન છે. રુદ્રદામાના પ્રાંતિક સુખ સુવિશાખે ફરી સમરાવ્યું, એમ ૫, ૯-૨૦ સુધીમાં માલુમ પડે છે. આ લેખમાં ઉપરની હકીકત ઉપરાંત સંશોધન કરવા લાયક કેટલીક હકીકત છે. લેખમાં મુખ્ય પુરૂષ પાશ્ચાત્ય મહા ક્ષત્રપ રાજા રુદ્રદામન છે. તેના પિતા ક્ષત્રપ જયદામનનું નામ પં. ૪ થી માં છે, પણ તે વંચાતું નથી. તેના પિતામહુ મહાક્ષત્રપ રવામિ ચષ્ટનનું નામ પં. ૪ માં છે. ૫, ૧૫ માં આપેલા બીરૂદ ઉપરથી સમજાય છે કે રુદ્રદામાએ મહાક્ષત્રપ ઈલ્કાબ પિતે મેળવ્યું હતું. પં. ૧૧ અને ૧૨ માં આપેલાં બીજાં બીરૂદ ઉપરથી માહિતી મળે છે કે રુદ્રદામાં પોતાના બાહુબળથી પૂર્વ અને પશ્ચિમ આકરાવનિ, અનુપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, સ્વ, મરૂ, કચ્છ, સિધુ સૌવીર, કુકુર, અપરાન્ત, નિષાદ અને બીજા દેશોને પ્રભુ બન્યા હતા તેમ જ તેણે યૌધેયનું નિકન્દન કાર્યું અને દક્ષિણપથના શતકને બે વાર હરાવ્યા છતાં નજીકના સંબને લીધે હુયે નહોતો. જે તેફાનથી સુદર્શન તુટયું તેની તિથિ ર માં વર્ષના માર્ગશીર્વના કૃષ્ણપક્ષની પ્રતિપદા આપેલી છે ૭૨ મું વર્ષ રુદ્રદામાનું કર્યું છે, પણ તેને અર્થે સુધમાન સમયમાં પ્રચલિત સંવતનું ૭૨ મું વર્ષ એમ હું જોઈઍ. તે સંવત શકસંવત છે, એમ સર્વમાન્ય છે અને તે ગણત્રી મુજબ તે તિય ઈ. સ. ૧૫૦ ની ૧૬ મી નવેમ્બરે હેવી જોઈએ. આ લેખ તેથી ૧૧ કે ૧૫રે માં છેતરાયેલે હા જોઈએ. ' આ પંક્તિ ૧૮-૧૯ માં સ્પષ્ટ જણાય છે કે બન્ધનું કાર્ય જે સુવિશાખે પાર મૂક્યું તે ફર્લપને દીકરે અને પહહુલ હતા અને તેને આનર્ત અને સુરાષ્ટ્રને સૂબે રુદ્રદામાએ નિમેલ હતા, ચન્દ્રગુપ્ત અને અશોકના સમયમાં તે સંબન્ધી બાંધકામ કરનારા તરીકે વૈશ્ય પુષ્યગુપ્ત અને યવન રાજા સુક્ષનાં નામ આપેલા છે. પ્રસ્તુત સુદર્શન તળાવ ઉપરાંત બીજા સ્થળનાં નામે નીચે મુજબ મળી આવે છે. ગિરિનગર ( પ. ૧) ઊર્જયત (પ. ૫) અને સુવર્ણસિકતા અને પલાશિની નદીનાં નામ પ. ૫ અને ૬ માં આપેલ છે. આમાનું ગિરિનગર તે જાનાગઢનું પ્રાચીન નામ છે અને ઊર્જયત અત્યારે ગિરનાર તરીકે પ્રસિદ્ધ છે. બે નદીમાંથી સુવર્ણસિકતાને નરેખા છે. ભગવાનલાલ ઈન્દ્રજીએ માનેલ છે. પલાશિની તે અત્યારને પલાશિએ વોકળ હવે જોઈએ, એમ હું માનું છું. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy