________________
भरसेन २जानां ताम्रपत्रा દાન આપવાને હેતુ, દરેક બૌદ્ધ મઠને આપવામાં આવતાં દાન પ્રમાણે, બુદ્ધ ભગવાનની પૂજાના ખર્ચ માટે, પૂજ્ય ભિક્ષુઓના કપડાં, ખેરાક તથા ઔષધ વિગેરેને ખર્ચ, તો મઠના સમારકામ વિગેરેને ખર્ચ કરવા માટે છે.
દાનની તારીખ વિષે, હું હવે તે ૨૬૯ ચિત્ર વદ ૨ વાંચું છું. બીજી નિશાનીના અર્થ માટે પંડિત ભગવાનલાલ ઇંદ્રજીના મતને હું મળતું આવું છું. મારા અભિપ્રાય પ્રમાણે, તેઓ પિતાની પાસેના કેટલાક ક્ષત્રપના સિક્કાઓની મદદથી, ૪૦ અને ૭૦ માટેની નિશાનીઓની મુશ્કેલી ઉકેલવામાં ફળીભૂત થયા છે.
જમીનનાં દાનમાં “દિવિર” અથવા “દ્ધિવિરપતિ’ને ઇલ્કાબ હંમેશાં વપરાય છે, અને શાસને ઘડનાર અધિકારીઓ માટે તે ખાસ વપરાય છે. એટલે દિવિરપતિ અંદભટને અર્થ મુખ્ય કારકુન અથવા સેક્રેટરી રકંદમટ” થાય છે. આ શબ્દની સંસ્કૃત વ્યુત્પત્તિ શોધી શકા નથી. ખીલા આકારના લેખોમાં આવે છે તે પશીઅન “દિવિ ” “ લખાણ” સાથે તે શબ્દને સબંધ કદાચ હોય,
"Aho Shrut Gyanam"