________________
દરેક પરીક્ષામાં સુંદર પ્રતિભાવ બતાડનાર ૧૦-૧૦ પરીક્ષાર્થીઓનું વિશિષ્ટ પ્રભાવનાઓ તથા ૫૦-૫૦ પરીક્ષાર્થીઓનું પ્રોત્સાહન પ્રભાવનાઓથી જાહેર પ્રવચનમાં બહુમાન કરાતું હતું.
પ્રશ્નપત્ર બહાર પડતાં જ લગભગ પંદરસો જેવા પેપરો આપોઆપ રૂા. ૧ ની કિંમતે ઉપડી જતાં હતા ને જવાબપત્ર પરત કરવાના સમયે જવાબપત્રોનો ઢગલો થઈ જતો હતો. વળી જુદા જુદા વિષય ઉપર સો સો પ્રશ્નો મળી જતાં, દરેક વિષયનું સાંગોપાંગ જ્ઞાન મળતું હતું. તેથી અનેક લોકોની માંગણી આ પેપરોનો સંગ્રહ કરવાની હતી.
જુદા જુદા સ્થળે પરીક્ષાઓનું આયોજન કરવા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા અન્ય સંસ્થાઓ પણ આ પ્રશ્નપત્રો તથા તેના જવાબપત્રોની અમારી પાસે વારંવાર માંગણી કરતાં હોવાથી અમે આ પ્રશ્નપેપરો તથા જવાબપત્રોને પુસ્તકના સ્વરૂપમાં પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ.
અમને વિશ્વાસ છે કે આ પુસ્તકથી તેઓની તો માંગણી સંતોષ પામશે જ. પણ સાથે સાથે અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો તથા સંસ્થાઓને પ્રશ્નપત્રો દ્વારા જ્ઞાનદીપક પ્રગટાવવામાં આ પુસ્તક સહાયક પણ બનશે જ..
આ પુસ્તકમાં રહેલાં જુદા જુદા પ્રશ્નપત્રો આપ્યા છે. છેલ્લે તે તમામના જવાબો આપવામાં આવ્યાં છે. વાચકોને સૌ પ્રથમ પોતાની જાતે જવાબો શોધીને પોતાની નોટમાં લખવા અને ત્યાર પછી જ આપેલા જવાબપત્રો સાથે પોતાના જવાબોને ચકાસી લેવા વિનંતી કરીએ છીએ.
આ પુસ્તક અંગે આપના પ્રતિભાવો સાદર આવકાર્ય છે. જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કાંઈ પણ છપાયું હોય તો તેની ક્ષમા માંગવા સાથે, જ્ઞાનદીપક પ્રગટાવનારા આપના કાર્યોની અનુમોદના કરવાપૂર્વક જ્ઞાનદીપક પ્રગટાવનારું આ પુસ્તક શ્રી સંઘના ચરણોમાં અર્પણ કરીને વિરમીએ છીએ.
લિ. સંચાલક