SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાએક જાણે બધું સ્થિર થઈ ગયું! પવન પણ સ્થિર થઈ ગયો... રણપ્રદેશ જાણે થીજી ગયો. તે પશ્ચિમ દિશા તરફ જોયું તો તું પણ સ્થિર થઈ ગઈ! ટેકરાની નીચે ઊભેલા સાધુઓના વંદને મેં જોયું અને સાધુઓએ તને જોઈ. તમારી દષ્ટિ મળી... આટલા જન્મમાં પહેલી જ વાર, તને સાધુઓ જોઈને, હર્ષ થયો! સાધુઓ તને કંઈ પૂછતા હતા, તને સંભળાતું ન હતું. એટલે તું ઊભી થઈ અને ઝડપથી ટેકરો ઊતરીને, એ સાધુઓ પાસે ગઈ. - “હે ધર્મશીલે, આ કયો પ્રદેશ છે અને અહીંથી રાજમાર્ગ કેટલો દૂર છે?' સાધુઓએ તને પૂછ્યું. તેં ઉત્તર આપ્યોઃ “મહાત્મા, આ “સહ્ય' નામનો પ્રદેશ છે. માર્ગ બહુ દૂર નથી. પશ્ચિમ દિશામાં ચાલશો એટલે પહેલાં વૃક્ષો અને લતાવાળો ગીચ ઝાડીવાળો માર્ગ છે, ત્યાંથી આગળ રાજમાર્ગ શરૂ થઈ જાય છે... આપ પધારો, હું જ આપને રાજમાર્ગ સુધી પહોંચાડું છું...” તું આગળ અને પાછળ સાધુઓ! રાજમાર્ગે ચઢાવીને, તેં હર્ષ અનુભવ્યો. તેં કહ્યું: “આ માર્ગ ચાલતાં નજીક જ પલ્લી આવશે. આપ રાત્રિ ત્યાં પસાર કરી શકશો.” રાધુઓએ “ધર્મલાભ' નો આશીર્વાદ આપીને કહ્યું: “ભદ્ર, તેં અમારા પર ઉપકાર કર્યો. મુનિરાજની નમ્ર અને મધુર વાણી સાંભળીને, તારી આંખોમાં આંસુ આવી ગયાં... તને વિચાર આવ્યા: “અહો, આ કેવા નિરભિમાની મહાત્માઓ છે! કેવું પ્રિય અને મધુર બોલે છે? તેમના મુખ પર કેવો પ્રશાન્ત ભાવ હતો! સાચે જ તેઓ આદર કરવા યોગ્ય હતાં. જેઓ ભાગ્યશાળી હોય તેમને જ આવા મુનિઓની સેવા કરવાનું ભાગ્ય મળે...” આવા શુભ વિચારો કરતી તું પાછી વળી. તારે તો પેલી ચોકીના ખંડેરમાં પહોંચવું હતું. રસ્તામાં પણ તને મુનિરાજોના જ વિચાર આવ્યા. અહો, કેવી નિર્મળ તેમની આંખો હતી! નીચી દૃષ્ટિએ ચાલતાં હતાં. વાણી પર કેવો સંયમ... બધી મૌન ચાલતાં હતાં....' હૃદયમાં મુનિવરો તરફ અહોભાવ પ્રગટ્યો. તેમના ગુણોની અનુમોદના ચાલતી રહી. તારા વિચારોમાં અને વ્યવહારમાં સરળતા, નમ્રતા અને કોમળતા આવી તેં ખૂબ મર્યાદિત સાધનોથી જીવન જીવવાનું નક્કી કર્યું. શિકાર વગેરે પાપો છોડી દીધાં. સર્વ જીવો પ્રત્યે તારા હૃદયમાં મૈત્રીભાવ પ્રગટ્યો. આત્માના અધ્યવસાયો નિર્મળ બનતા ચાલ્યા. તે મનુષ્યગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું. જ્યાં સુધી તું જીવી, ત્યાં સુધી તું પેલા ભૂલા પડેલા મુનિવરોને તું ભૂલી નહીં. પ્રતિદિન યાદ કરતી, ભાવથી વંદન કરતી અને એમના ગુણોની મનોમન અનુમોદના શ્રી સમરાદિત્ય મહાકથા ૧3૫ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy