SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતી રહી. તારા વિચારો શુભ, સુંદર અને વિશુદ્ધ રહ્યા. તારું આયુષ્ય પૂર્ણ થય. તારું મૃત્યુ થયું. મરીને તું શ્વેતામ્બીનગરના રાજાની રાજકુમારી થઈ. તારાં લગ્ન કોશલરાજ સાથે થયાં. ગઈકાલ સુધી તેં કોશલરાજનો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત કર્યો. પરંતુ પેલું પાપકર્મ થોડું ભોગવવાનું બાકી રહ્યું હતું, તે ઉદયમાં આવ્યું! તેમાં નિમિત્ત બની પેલી યક્ષિણી યક્ષિણીએ તારું રૂપ કરીને, રાજાને છેતર્યો... રાજાને તું અપ્રિય બની, રાજાએ તારી ઘોર કદર્થના કરી. અને રાત્રિના સમયે તને નગરમાંથી કાઢી મૂકી.... અને તે પર્વતશિખર પરથી કૂદીને, મરી જવાના ભાવથી અહીં પર્વત પર આવી!” હું તો એ સર્વજ્ઞ ગુરુદેવનાં ચરણોમાં પડી ગઈ.... મારી આંખોમાં આંસુ ઊભરાયાં. મારો કંઠ અવરુદ્ધ થઈ ગયો. આચાર્યદેવે કહ્યું: “હે ભદ્ર, ચંદ્રયશાના ભવમાં બાંધેલું નિકાચિત પાપકર્મ હવે ભોગવાઈ ગયું છે.” ભગવંત, આ કર્મવિપાક સર્વથા નિર્મળ ક્યારે થશે?” “વત્સ, એક રાત વીતી ગઈ. હવે દિવસ બાકી છે!” ગુરુદેવ, આર્યપુત્ર યક્ષિણીને ઓળખી જશે? ક્યારે?' રાજરાણી, વીતેલી રાત્રિમાં જ રાજા યક્ષિણીને ઓળખી ગયો હતો. રાજાને જ્યારે નિદ્રા આવી ગઈ ત્યારે યક્ષિણીને રાજાએ જંગલમાં કરેલું એનું અપમાન યાદ આવી ગયું. તેને રાજાનું લોહી પી જવાની પ્રબળ ઇચ્છા થઈ... ભયંકર રોષના કારણે એના દાંત પિસાવા લાગ્યા. એના મુખ પર રૌદ્રતા આવી ગઈ... અને તે રોષમાં ને રોષમાં રાજાની છાતી પર ચઢી બેસી... તત્પણ મહારાજા જાગી ગયા. બે હાથે પ્રબળ શક્તિથી યક્ષિણીની છાતીને ધક્કો મારી પલંગ પરથી નીચે ફેંકી દીધી... અને પાસે જ મૂકેલી કટારી હાથમાં લઈ... બોલ્યા: “અરે દષ્ટા, તેં મને તો છેતર્યો... મારી પ્રિયાની ઘોર કર્થના કરાવી, હવે તો તને અહીં જ હણીશ. ઊભી રહે.' મહારાજાએ તલવારનો ઘા કર્યો. પણ એ પૂર્વે યક્ષિણી અદશ્ય થઈ ગઈ હતી... રાજા ભોંઠો પડ્યો...” ગુરુદેવ, હવે ભવિષ્યમાં એ યક્ષિણી શું આર્યપુત્રનું કંઈ અહિત કરશે?” ના, પતી ગયું હવે બધું! તારું અશુભ કર્મ ભોગવાઈ ગયું... એટલે હવે શાન્તિ! પરંતુ જ્યાં સુધી રાજાને તું નહીં મળે, ત્યાં સુધી એ ઘોર સંતાપ અનુભવશે...' ભગવંત, આમાં આર્યપુત્રનો શો દોષ? તેઓ તો નિર્દોષ છે. આ તો મારાં જ પાપકર્મની પરિણતિ છે....' છતાં, તારા ઉપરના મહામોહના કારણે રાજા ઘોર સંતાપ પામી રહ્યો છે. કાલે 39. ભાગ-૩ + ભવ આઠમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy