________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રીએ પૂછ્યું : “આ માળા તે ક્યારે ખરીદી હતી?” એક વર્ષ પહેલાં નવું અસત્ય બોલ્યો. મંત્રીએ વિચાર કર્યો : “મેં આ રત્નમાળા રાજકુમારીને ત્રણ મહિના પૂર્વે આપેલી છે, અને બે મહિના પૂર્વે રાજકુમારી અહીંથી ગઈ છે... જ્યારે આ શ્રેષ્ઠીપુત્ર જુદી જ વાત કરે છે. પહેલાં તો એણે મને કહેલું કે મારી પાસે શંકાસ્પદ કોઈ વસ્તુ નથી...” અને આ હાર એની પાસેથી મળી આવ્યો. આ માણસ મને શંકાસ્પદ લાગે છે. આ હાર સાથે રાજકુમારીનો સંબંધ છે, એટલે મારે મહારાજાને વાત કરવી જોઈએ.” મંત્રીએ ધનકુમારને કહ્યું : “તારે મારી સાથે મહારાજાની પાસે આવવાનું છે.'
મંત્રી કુમારને રાજા પાસે લઈ ગયો. રાજાને હર બતાવ્યો. રાજા બોલી ઊઠ્યો : “આ તો રાજકુમારીની રત્નાવલી છે. છતાં હું ભંડારીને બતાવી જોઉં.” ભંડારીને રત્નાવલી બતાવી. તેણે કહ્યું : 'મહારાજા, આ એ જ રત્નાવલી છે, કે જે રાજકુમારીને આપી હતી.
રાજાએ ક્રોધભરી દૃષ્ટિથી ધનકુમાર સામે જોયું. “જરૂર આ પુરુષે મારી પુત્રીને મારી નાખીને આ હાર મેળવ્યો લાગે છે. અથવા એને લુંટી લીધી છે. એ સિવાય આ હાર આની પાસે ક્યાંથી આવે?” રાજાએ ફરીથી કુમારને પૂછ્યું.
હું તને છેલ્લી વાર પૂછું છું. સાચું બોલ, આ રત્નાવલી તારી પાસે ક્યાંથી આવી? જો તું સાચું બોલીશ, તો તને દંડ નહીં કરું...”
ધનકુમારે એનો એ જ જવાબ આપ્યો. રાજાએ ફરીથી રત્નાવલીને ફેરવી ફેરવીને જોઈ. આ “ત્રિલોક્યસારા' જ છે. આ પુરુષ સાવ અસત્ય બોલે છે. રાજાને ગુસ્સો આવ્યો.
તેણે સિંહાસન પરથી નીચે ઊતરી ધનકુમારને સજા ફટકારી દીધી : “આ દુષ્ટ પુરુષને સ્મશાનમાં લઈ જવામાં આવે અને એનો વધ કરવામાં આવે.'
ધનકુમાર સ્તબ્ધ બની ગયો. કિંકર્તવ્યમૂઢ બની ગયો. એક વાર મૃત્યુના મુખમાંથી પાછો આવેલો કુમાર પુનઃ મૃત્યુ તરફ ધકેલાઈ ગયો. રાજાની આજ્ઞા થતા મંત્રીએ મારાઓને બોલાવી તેને સોંપી દીધો અને કહ્યું :
આ યુવાનના સંપૂર્ણ શરીરે કાળી મેશ ચોપડી દો. એના માથે કાંટાનો મુગટ પહેરાવો. શરીર પર સર્વત્ર સૂકું ઘાસ બાંધો. તેના પગમાં બેડી નાખો. હાથમાં બેડી નાખો. ફૂટેલાં ઢોલ વગાડીને, એણે જે અપરાધ કર્યો છે, તે જાહેર કરો. તેને આ રીતે સ્મશાનમાં લઈ જાઓ.”
રાજાએ મંત્રીને કહ્યું : “એક થાળમાં આ રક્તવર્ણનાં રત્નોની માળા મૂકીને, તેને એક રાજપુરુષના માથે મુકાવીને, સાથે જ સ્મશાન સુધી લઈ જાઓ. પ્રજાને ખબર પડે કે “આ “કૈલોક્યસારા” નામની રત્નમાળાનો આ લૂંટારો છે, ચોર છે...”
મંત્રીએ એ જ રીતે રાજાની આજ્ઞાનું પાલન કર્યું. ધનકુમારની જીવતા જીવે
us૮
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only