________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મનુષ્યજીવનમાં આત્માને કર્મોનાં બંધનોથી મુક્ત કરવાનો પુરુષાર્થ કરી લેવો જોઈએ. એ પુરુષાર્થ સાધુજીવનમાં જ થઈ શકે છે... તમારે સહુએ પણ એક દિવસ આ જ માર્ગ લેવાનો છે. સંસારનાં સ્વપ્નસમાન સુખોમાં મોહિત નથી થવાનું. જીવનની ક્ષણિકતાને સમજીને, તમારે પણ આત્મકલ્યાણ સાધી લેવાનું છે.’
મહારાજાએ કહ્યું : ‘વત્સ, તારો શ્રેયોમાર્ગમાં અમે વિઘ્ન કરવા નથી ઈચ્છતા, તમે સહુ જે માર્ગે જવા તૈયાર થયા છો, એ માર્ગ ઉત્તમ છે.’
‘મહારાજા, કાલે પ્રભાતે આપ પણ સપરિવાર ઉદ્યાનમાં આચાર્યદેવનાં દર્શન કરવા પધારો...’
‘અવશ્ય, નગરમાં પણ ઘોષણા કરાવી દેજો. આવા મહર્ષિનાં પગલાં મારા નગરમાં પડ્યાં છે, એ મારું પરમ સૌભાગ્ય છે. એમનાં દર્શન કરીશું. એમનાં વચનામૃતોનું પાન કરીશું...'
‘પૂજ્ય, આ મંત્રીમુદ્રા...’
‘એ આજે નથી લેવાની. હું દીક્ષાનો મહોત્સવ કરીશ. દીક્ષાના આગલા દિવસે એ મંત્રીમુદ્રા તારે જ સુયોગ્ય પુરુષને આપવાની છે... તું નક્કી કરજે કે મંત્રીમુદ્રા કોને આપવી?’
‘આપની આજ્ઞા શિરોધાર્ય છે...’
‘· વિદ્યાધરનરેશ, વૈતાઢ્ય પર્વત ઉપર અમરપુરનગરના રાજકુમાર હેમકુંડલને મારો આટલો સંદેશો પહોંચાડજો કે તારો મિત્ર ધરણ, માકંદીનગરમાં, માતા-પિતા તથા મિત્રોની સાથે ગૃહત્યાગ કરી ચારિત્રધર્મ સ્વીકારે છે. ત્યારે તને અને કિન્ન૨કુમા૨ સુલોચનને યાદ કરે છે. તમે આ પ્રસંગે ઉપસ્થિત રહેશો તો ધરણને આનંદ થશે...'
આચાર્યદેવને વંદન કરવા આવેલા વિદ્યાધર રાજા અમિતગતિને, ધરણે આ પ્રમાણે સંદેશો આપ્યો. અમિતગતિએ ધરણને આશ્વાસન આપ્યું : ‘હે મહાનુભાવ, આ સંદેશો આજે જ પહોંચી જશે. તારો એ મિત્ર અવશ્ય અહીં આવી પહોંચશે.' ધરણને ખૂબ આનંદ થયો.
બીજી બાજુ, દેવપુરના ટોપ શ્રેષ્ઠીને ધરણનો સંદેશો મળતાં સપરિવાર રથમાં બેસીર્ન, માકંદી તરફ તેમણે પ્રયાણ કરી દીધું.
મહારાજાએ આચાર્યદેવની ઉપસ્થિતિમાં જ, બંધુદત્તને કહ્યું :
‘હૈ પુણ્યશાળી, તમારા સહુનો દીક્ષામહોત્સવ હું કરીશ.’
બંધુદત્તે કહ્યું : ‘મહારાજા, મને મહાદાન આપવાની અનુમતિ આપો.' મહારાજાએ અનુમતિ આપી. બંધુદત્તે ધરણને મહાદાન આપવા કહ્યું.
નગરમાં અને રાજ્યમાં સર્વત્ર આ સમાચાર ફેલાઈ ગયા. નગરનાં સર્વ મંદિરોમાં
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Ery