________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી પાછા ઉપાશ્રયમાં આવ્યા નથી. કદાચ તેઓએ...”
ભગવંત, એ અતિથિ મુનિ ક્યાં છે?” “રાજન, હું તપાસ કરાવું છું.”
આચાર્યે બે સાધુઓને આજ્ઞા કરી : “એ અતિથિ સાધુ ક્યાં છે, એની તપાસ કરી, મને જાણ કરો.”
રાજા અને પુરોહિત ઉપાશ્રયમાં બેસી રહ્યા. બંને શોકમગ્ન અને વિષાદથી ઘેરાયેલા હતા. બંને પોત-પોતાનાં મનમાં વિચારતા હતા : “ભૂલ અમારી જ છે. અમે કુમારોનાં તોફાનો રોક્યાં નહી. એનું આ પરિણામ આવ્યું છે. કુમારોએ સાધુઓને સતાવવામાં, કંઈ બાકી નથી રાખ્યું....' આવા અનેક વિચારો કરી, પસ્તાવો કરવા લાગ્યા.
બે મુનિઓએ આવીને, આચાર્યદેવને વંદના કરીને નિવેદન કર્યું : “ગુરુદેવ, એ અતિચિમુનિ તો ગામની બહાર શાલવૃક્ષની નીચે ધ્યાનસ્થ બનીને ઊભા છે.'
રાજાએ કહ્યું : “ભગવંત, અમે ત્યાં જઈને, મુનિરાજને પ્રાર્થના કરીશું. ક્ષમાયાચના કરીશું...' રાજા અને પુરોહિત રથમાં બેસી, નગરની બહાર જ્યાં શાલવૃક્ષ હતું, ત્યાં ગયા. રથમાંથી ઊતરી, એ બંનેએ મુનિરાજને વંદના કરી. રાજાએ
મુનિરાજને ઓળખ્યા. “અહો, આ તો મારા જ્યેષ્ઠ ભ્રાતા છે! આમને હું મારું મુખ પણ બતાવવા લાયક નથી.” મુનિરાજે ધ્યાનપૂર્ણ કરી “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો અને કહ્યું :
અરે મહાશ્રાવક, તમારા રાજ્યમાં સાધુઓની કદર્થના તમારા જ કુમાર કરે, તમે એમનું અનુશાસન ના કરો, એ શું તમારા માટે યોગ્ય છે?'
રાજા સમરકેતુ રડી પડ્યા. રુદન કરવા લાગ્યા. પુરોહિત પણ રડવા લાગ્યો. મુનિરાજે કહ્યું :
સમરકેતુ, સાધુઓની કદર્થના કરવાનું ફળ તમે જાણો છો? કુમારો કદર્થના કરે અને તમે કરવા દો. તમે ઘોર પાપકર્મ બાંધ્યા છે. સાધુઓને સતાવવામાં તમને બધાને ખૂબ મજા આવે છે ને? એની સજા આ ભવમાં ને પરભવમાં કેવી ભોગવવી પડશે, એ જાણવું છે?”
@g
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only