________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(1311
મહામંત્રીજી, મંત્રી સિદ્ધેશ્વર આપણી સરહદને અડીને આવેલા કોશલપુરનગર ગયા હતા. તેઓ સીધા જ રાજમહેલમાં ગયા હતા. લગભગ ચાર ઘટિકા પયંત, તેઓ રાજમહેલમાં રોકાયા હતા. પછી તેમને આપવામાં આવેલા ઉતારામાં ગયા હતા. પુનઃ ત્રીજા પ્રહરમાં તેઓ રાજમહેલમાં ગયા હતા. એકાદ ઘટિકા પછી બહાર નીકળ્યા હતા. તેમની સાથે કોશલપુરના મહામંત્રી હતા. દ્વાર પર તેઓ વાતો કરતા ઊભા રહ્યા હતા. પહેલાં ગંભીર હતા, પછી હસતા હતા. સિદ્ધેશ્વર ઉતારા પર આવી ગયા હતા.
બીજા દિવસે પણ પ્રભાતમાં તેઓ રાજમહેલમાં ગયા હતા. મારી ધારણા હતી કે બીજા દિવસે તેઓ નીકળી જશે... અને, બીજા પ્રહરના પ્રારંભમાં તેઓ માકંદી આવવા નીકળી ગયા. મેં બરાબર તેમના પર નજર રાખી હતી.”
વીરેન્દ્ર, કોશલપુર નરેશ વિરભદ્ર આપણા મિત્રરાજા છે. તેમને ગુપ્ત રીતે મળવા જવા પાછળ સિદ્ધેશ્વરનો શો આશય હશે? એ જાણવું જોઈએ. મને એમ સમજાય છે કે આજે રાત્રે એમની હવેલીમાં મહેશ્વર, રુદ્રદત્ત અને સોમિલ સાથે મંત્રણા કરશે. તેમાં એ કોશલપુરનો વૃત્તાંત જણાવશે.' “મહામંત્રીજી, એ સમગ્ર વૃત્તાંત હું જાણી લાવીશ. આવતી કાલે આપને જણાવીશ.”
એ વૃત્તાંત જાણવો અત્યંત જરૂરી છે. જરૂર કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે, એમ મને સમજાય છે.'
હું હવે કાલે જ મળીશ..” વીરેન્દ્ર ચાલ્યો ગયો. ધરણ પોતાની હવેલીમાં આવ્યો. ભોજનાદિથી પરવારી, તે પોતાના શયનખંડમાં ગયો. તેણે વામકુક્ષિ કરી, ત્યાં નોકરે આવીને કહ્યું : ‘સેનાપતિજી મળવા માટે આવ્યા છે.'
આવવા દે.” ધરણ પલંગ પર બેઠો. સેનાપતિએ આવીને, પ્રણામ કર્યા. ધરણે બેસવા માટે આસન આપ્યું.
મહામંત્રીજી, હાથીઓને તાલીમ આપવાનું કામ રાજવાડામાં શરૂ કરાવી દીધું છે. અશ્વોને પણ યુદ્ધની તાલીમ આપવામાં આવી રહી છે. શસ્ત્રો બનાવવાનું કામ ભૂગર્ભમાં શરૂ કરાવ્યું છે. દરજીઓને બેસાડીને સૈનિકોના ગણવેશ તૈયાર કરાવાય છે. આપની આજ્ઞા મુજબ બધાં જ કાર્યો ચાલુ કરાવ્યાં છે. એના પર હું પોતે જ દેખરેખ રાખું છું.” શ્રી સમરાદિત્ય મહાકથા
cછે
For Private And Personal Use Only