________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવનંદી ચાલ્યો ગયો, ધરણને મહારાજા પાસે જવાનું હતું. તે રથમાં બેસીને રાજમહેલે ગયો. મહારાજા ધરણની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા. ધરણે મહારાજાને પ્રણામ કર્યા અને ઉચિત આસને બેઠો. મહારાજાએ પ્રારંભમાં રાજકાજની વાતો કરી, પછી મૂળ વાત પર આવ્યા.
‘ધરણ, તારે પુન: લગ્ન કરવાનાં છે?' ધરણ ચમક્યો. ‘આ વાત મહારાજા પાસે કેવી રીતે આવી? અવશ્ય, પિતાજીએ જ વાત કરી હશે?' મહારાજા કહેશે તો ધરણ માની જશે! આવી કલ્પનાથી વાત કરી હશે. તેણે નમ્રતાથી ઉત્તર આપ્યો :
‘મહારાજા, આપે મને મહામંત્રીપ, આપીને, મારા પર કેટલી મોટી જવાબદારી મૂકી છે? હજુ મેં કાર્યનો પ્રારંભ કર્યો છે. વ્યવસ્થાતંત્ર સુંદર રીતે ચાલુ થઈ જાય, પછી લગ્ન અંગે વિચાર કરવાનો છે...'
‘ધરણ, લગ્ન કરવાથી, રાજ્યનાં કાર્યોમાં વિક્ષેપ નહીં આવે...'
‘આવશે મહારાજા, અત્યારે મેં રાજ્યનાં કાર્યોને મહત્ત્વ આપ્યું છે. મારે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. માટે અત્યારે મને આગ્રહ ના કરશો... મારી આ વિનંતી છે....
મહારાજાને ધરણની વાત ઠીક લાગી. સાવ બગડી ગયેલી રાજ્યવ્યવસ્થા ધરણને સોંપી હતી. એને સુધારવામાં સમય તો લાગવાનો જ હતો. મહારાજાએ કહ્યું : ‘કુમાર, ભલે થોડા સમય પછી... પરંતુ લગ્ન તો કરવાં જ પડશે. હું ના ન પાડીશ...'
‘જોકે મારું મન તો ના પાડે છે... છતાં આપની આજ્ઞા મારા માટે અલંઘનીય છે...'
ચાલો, એ વાત પછી કરીશું. અત્યારે કેટલાક જૂના રાજ્યાધિકારીઓની વાત કરી લઈએ.’
રાજાએ ધરણને કેટલાક રાજ્યાધિકારીઓથી ચેતતા રહેવા સાવધાન કર્યો. ‘આ અધિકારીઓ કાળા નાગ છે. એ બોલવામાં મીઠા છે, પરંતુ કૂટનીતિમાં પારંગત છે. માટે એમની ચાલમાં ફસાઈ ના જઈશ. હું તને મારો એક અત્યંત વિશ્વસનીય રાજપુરુષ આપું છું. એને તું તારી છાયાની જેમ સાથે રાખજે,’
મહારાજાએ એ પુરુષને બોલાવ્યો. ધરણને કહ્યું : ‘આ છે વીરેન્દ્ર. તું એના પર શંકા વિના વિશ્વાસ મૂકી શકીશ. એ તારા પ્રત્યેક કાર્યમાં સહાયક બનશે. બુદ્ધિશાળી છે અને પરાક્રમી પણ છે. એ રાજ્યના બધા જ જૂના અધિકારીઓને ઓળખે છે.' વીરેન્દ્ર ધરણને પ્રણામ કરીને કહ્યું : ‘મહામંત્રીજી, કેટલાક રાજ્યાધિકારીઓ
શ્રી સમરાદિત્ય મહાકથી
For Private And Personal Use Only
૯૨૪