________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં મૂળભૂત કારણ તારા પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલાં, બાંધેલાં કર્મો જ કારણભૂત છે. એનાં – “લક્ષ્મીના કપાયો કારણભૂત છે... એ પણ પૂર્વજન્મોમાં એણે કષાયોનાં બીજ વાવ્યાં હશે... એ કષાયો જ જીવના મોટા શત્રુ છે.”
મિત્ર, કષાય' એટલે?” કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ....' ધરણ ઊંડા વિચારમાં પડી ગયો. દેવનંદી મૌન થઈ ગયો. થોડી વાર પછી ધરણે કહ્યું : “મારાં માતા-પિતા મારાં બીજા લગ્ન કરવા અતિ આગ્રહ કરી રહ્યાં છે. મારું મન માનતું નથી. એક બંધન સ્વતઃ તૂટી ગયું છે. હવે નવું બંધન શા માટે સ્વીકારવું?”
દેવનંદીએ કહ્યું : “ધરણ માતા-પિતાનો તારા પર મોહ છે. તેઓની ધારણા આવી જ હોય છે. “પુત્રને પરણાવીને સુખી કરીએ.' લગભગ દરેક માતા-પિતાઓ આ પ્રમાણે સમજતાં હોય છે. વૈષયિક સુખોને તેઓ સાચાં સુખ માનતાં હોય છે. ખરેખર તો વિષયનાં સુખ માત્ર સુખનો આભાસ હોય છે. એ સુખોનું પરિણામ દુ:ખ હોય છે.'
ધરણને દેવનંદીમાં “મહાત્મા' ના દર્શન થયાં. દેવનંદીની વાતો એના મર્મસ્થાનને સ્પર્શતી હતી.
મેં માતા-પિતાને પ્રત્યુત્તર નથી આપ્યો. એમના મનનું સમાધાન કરવું પડશે. એમને દુઃખ ના લાગે એ રીતે વાત કરવી પડશે...'
સાચી વાત છે તારી માતા-પિતાના ઉપકાર આપણા પર ઓછા નથી. એ ઉપકારનો બદલો વાળી શકાતો નથી. માટે તું એમને સારી રીતે સમજાવજે.”
કદાચ, તારી સહાય લેવી પડશે.” ‘તું કહીશ ત્યારે હું તૈયાર છું...”
બહુ જ સરળ અને ભદ્રિક છે મારાં માતા-પિતા... તેઓએ મને ક્યારેય નારાજ નથી કર્યો... મારી એક-એક ઈચ્છા તેમણે પૂર્ણ કરી છે. મને ના ગમે તેવી વાત પણ તેમણે મને નથી કરી. એટલે હવે તેમને દુઃખ થાય, તેવી વાત મારે પણ નથી કરવી...”
ધરણ, ઉતાવળ કરીને, ફરીથી લગ્ન કરવાની વાત હમણાં ના કરીશ... વાતને વિલંબમાં નાખી દેજે ... એવું જ કોઈ કારણ બતાવજે.. કે એમના મનનું સમાધાન
થાય.'
0
0
0.
EOS
ભાગ-૨ # ભવ છઠૂંઠો
For Private And Personal Use Only