________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠને ચિંતા હતી કે સુવદન અહીંથી વહાણ હંકારી જાય... દૂર નીકળી જાય તો કામ બગડી જાય. એટલે મહારાજાને ફરિયાદ કરી, સુવદનને જવા ન દેવો. એની પાસેથી લક્ષ્મીને છોડાવવી અને સોનું પણ લઈ લેવું.
ટોપશેઠ રાજાને મળ્યા. બધી વાત વિસ્તારથી કરી. રાજાએ કહ્યું : “શેઠ, ચિંતા ના કરો. હું એને હમણાં જ પકડી મગાવું છું.' શેઠ રાજાની પાસે જ બેઠા. રાજાએ કોટવાલને બોલાવીને કહ્યું : “ચીન દેશના વહાણને રોકો. તેના માલિક સુવદનને પકડી લાવો.'
વહાણ પર લક્ષ્મી અને સુવદન મહોત્સવ મનાવી રહ્યાં હતાં. ખૂબ આનંદિત હતાં, ત્યાં ચાર સૈનિકો સાથે કોટવાલ વહાણ પર પહોંચ્યો.
તમારું જ નામ સુવદન છે ને?” હા, હું જ સુવદન છું.' તમને મહારાજા બોલાવે છે... અમારી સાથે જ તમારે આવવાનું છે.”
સુવદન તૈયાર થયો. એણે કલ્પના કરી કે “મહારાજાને ચીન દેશનો કોઈ માલ જોઈતો હશે, માટે બોલાવતા હશે.'
૦ ૦ ૦. હે સાર્થવાહપુત્ર, મેં સાંભળ્યું છે કે તારી પાસે ખૂબ ધન છે. તું એ ધન ક્યાં અને કેવી રીતે કમાયો? મહારાજાએ સુવદનને પહેલો પ્રશ્ન પૂછ્યો. “મહારાજા, એ બધું ધન વડિલોપાર્જિત છે.”
સારું, તમે લગ્ન ક્યાં કર્યા અને તમારી પત્ની ક્યાંની છે?” “ચીન દેશમાં લગ્ન કર્યા છે અને મારી પત્ની ચીન દેશની છે...' સુવદને જરાય ગભરાયા વિના, ઉત્તર આપ્યો. મહારાજાએ ટોપશેઠની સામે જોયું. ટોપશેઠે કહ્યું : મહારાજા, આ સાવ ખોટું બોલે છે...' તો સાચું શું છે?' સુવદને ટોપશેઠ સામે જોઈને પૂછુયું. “ધન અને પત્ની - બંને શ્રેષ્ઠીપુત્ર ધરણનાં છે.' શેઠ બોલ્યા. સુવદન ક્ષણભર ક્ષોભ પામી ગયો, પછી હસીને બોલ્યો :
મહારાજા, આ તો કોઈ મોટા જ્યોતિષી લાગે છે. તેમની વાતનો કોઈ પુરાવો છે ખરો? આ રાજદરબાર કહેવાય, અહીં કોઈ અધ્ધર વાત ના ચાલે.”
ટોપશેઠ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું : પુરાવો જીવતો જાગતો છે. મહારાજા
C૧૨
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only