________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના ખેસથી એનાં આંસુ લૂછી નાખ્યાં, શેઠે વિચાર્યું : “શું આની પત્ની નહીં મળી હોય? કે મૃત્યુ પામી હશે? કે વહાણ કોઈ બીજું જ આવ્યું હશે?” તેમણે પૂછ્યું : “શું એ જ જહાજ આવ્યું છે કે જેમાં તારી પત્ની હતી?”
એ જ જહાજ છે...' તારી પત્ની કુશળ છે ને?' હા જી.’ તો પછી વત્સ, તું કેમ ઉદાસ છે? કેમ શોકવિહ્વળ છે?' “શું કહું? હે પૂજ્ય, એ વાત કહેવા લાયક નથી.” શોકનું કારણ તો હશે ને?” છે...” “શું છે કારણ?” કંઈ નહીં...' “વત્સ, આવા ઉત્તરો મારે નથી જોઈતા. મારે સાચું કારણ જાણવું છે. શું કારણ જાણવા હું યોગ્ય નથી? શું તેં મને પિતાના સ્થાને નથી માન્યો?
આપ મારા પૂજ્ય છો. પૂજ્યને કહી શકાય એવી, આ વાત નથી. છતાં આપનો આગ્રહ છે, તો હું કહું છું.”
“વત્સ, માતા-પિતાની સમક્ષ કંઈ અકથનીય નથી હોતું. તું જે કંઈ સત્ય હોય તે કહી દે.” “હે પૂજ્ય, મારી પત્ની કુશળ છે, પરંતુ તેનું શીલ કુશળ નથી.' કેવી રીતે?
જે વેપારીનું એ વહાણ છે, એ સુવદન સાથે એણે શરીરનો સંબંધ કરી લીધો છે..' ધરણે વહાણમાં ગયા પછી જે ઘટનાઓ બની, તે બધી જ કહી સંભળાવી. એને ગળામાં ફાંસો નાખી, સમુદ્રકિનારે ફેંકી દીધો. તે બધી વાત કહી દીધી.
ખરેખર, એ બંનેની દુષ્ટતા કહેવાય. ખેર, હવે તું નિશ્ચિત બની, વિશ્રામ કર. આખી રાત કષ્ટમાં ગઈ છે તારી.. હવે આ અંગે જે કંઈ કરવા જેવું, છે એ હું કરીશ...”
ધરણને સુવાડી દઈ, ટોપશેઠ પોતાના ખંડમાં આવ્યા. પ્રભાત થઈ ગયું હતું. તેમણે ત્વરાથી સ્નાનાદિ પ્રભાતિક કાર્યો પતાવ્યાં. શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યા અને રથમાં બેસી રાજમહેલે પહોંચ્યાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
c૧૧
For Private And Personal Use Only