________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોડી રાત સુધી, ધરણ ઘરે ના આવ્યો, તેથી ટોપશેઠને ચિંતા થવા લાગી. અનેક સંકલ્પ-વિકલ્પો થવા લાગ્યા. “એને વહાણ પર કોઈ આપત્તિ આવી હશે? એની પત્ની એને નહીં મળી હોય? ચીન દેશનાં વેપારીઓ કુટિલ પ્રકૃતિના હોય છે... ધરણની સોનાની ઈટો પચાવી પાડવા, ધરણને...” અનેક અમંગલ શંકાઓ થવા લાગી.
રાત્રે બાર વાગ્યે ટોપશેઠે પોતાના વિશ્વાસપાત્ર બે સશસ્ત્ર માણસોને બોલાવીને કહ્યું : “તમે સમુદ્રકિનારા પર જાઓ. ધરણને તમે ઓળખો છો. તે હજુ સુધી પાછો નથી આવ્યો. તેની તપાસ કરો. જરૂર પડે, કોટવાલની સહાય લેજો. ચીન દેશનાં વેપારીના જહાજમાં જરૂર પડે તો તપાસ કરજો... ગમે ત્યાંથી એને શોધી લાવો.”
બંને પુરુષો સમુદ્રકિનારે પહોંચ્યા. કિનારે કિનારે તેઓ, જ્યાં ધરણ પડેલો હતો તેનાથી, વિપરિત દિશામાં ચાલવા લાગ્યા. ધરણ એ બાજુ ના મળ્યો, એટલે બીજી બાજુ જવા પાછા ફર્યા. જ્યાં ધરણ ઊભો હતો ત્યાં આવ્યા... તેમણે ધરણ ઓળખ્યો...
હે શ્રેષ્ઠીપુત્ર, તમે અહીં કેમ ઊભા છો? ટોપશેઠ તમારી ચિંતા કરે છે. મધ્ય રાત્રિ સુધી તમે ઘેર ના આવ્યા, એટલે અમને શોધવા મોકલ્યા છે. અમે ઘણું રખડ્યાં. છેવટે તમે મળી ગયાં. ચાલો, આપણે જલદી ઘરે પહોંચીએ. શેઠના મનને શાંતિ મળશે...'
ધરણ, બે માણસો સાથે ઘરે પહોંચ્યો.
હવેલીમાં પ્રવેશતાં જ ટોપશેઠે ધરણનો હાથ પકડી લીધો. પેલા બે માણસો ચાલ્યા ગયા. શેઠ ધરણને એક ગુપ્ત ખંડમાં લઈ ગયા. તેને બેસાડ્યો અને પૂછ્યું : “વત્સ, તું ઉદાસ અને ઉદ્ધિન કેમ દેખાય છે?”
ધરણની આંખો ભીની થઈ ગઈ. “આ લજ્જાસ્પદ વાત શેઠને કેમ કરાય?' એમ વિચારી, મુખ નીચું કરીને, ધરણ બેઠો રહ્યો.
તેણે ઉત્તર ના આપ્યો. શેઠે પુનઃ પૂછ્યું : શું એ ચીન દેશના વહાણમાં જઈ આવ્યો?' હા, જઈ આવ્યો.' બોલતાં બોલતાં તે રડી પડ્યો... શેઠે ધરણની પીઠ પંપાળી,
cલ0
ભાગ-૨
ભવ છઠો
For Private And Personal Use Only