SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઊગેલી મહૌષધિ, દેખાડીને મને ગંધર્વતિએ કહ્યું હતું : ‘હેમકુંડલ, જ્ઞાની પુરુષો કહે છે તે સાચું છે કે ‘મણિ-મંત્ર અને ઔષધિઓનો પ્રભાવ અચિંત્ય હોય છે.’ જો આ ઔષધિ એવી પ્રભાવશાળી છે કે માણસનાં હાડકાં ચિરાઈ ગયાં હોય અથવા તલવાર વગેરે શસ્ત્રોના તીવ્ર ધા વાગ્યા હોય, તેના પર આ ઔષધિ-ધોયેલું પાણી રેડવામાં આવે તો તરત જ રૂઝ આવી જાય છે અને વેદના શાન્તે થઈ જાય છે.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં કહ્યું : ‘અદ્ભુત ઔષધિ કહેવાય.' પરંતુ એ ઔષધિ લેવાનો મને વિચાર ના આવ્યો, આપવાનો વિચાર મારા મિત્રને ના આવ્યો. પરંતુ વિદ્યુન્નાલીની વાત સાંભળી, વિજયકુમારને બચાવવા હું પાછો હિમવાન પર્વત ઉપર ગયો. મિત્ર ગંધર્વરતિને બધી વાત કરી. એણે મને પેલી ઔષધિ આપી. એ ઔષધિ લઈને, હું હિમવાન પર્વત પરથી નીચે ઊતર્યો અને તીવ્ર ગતિથી આકાશમાર્ગે અહીં આવી ગયો. ખૂબ થાકી ગયો હતો. આ વૃક્ષઘટામાં આરામ કરવા પ્રવેશ્યો. શૌચ કરી, શાન્તિથી બેઠો, પણ મને ચેન પડતું ન હતું. વિલંબ કરવાથી કદાચ વિજયકુમાનું મૃત્યુ થઈ જાય...' એટલે થાકેલો હોવા છતાં ઊડવા માટે તૈયાર થયો. મેં મારી આકાશગામિની વિદ્યાનું સ્મરણ કર્યું... પરંતુ હાય... રે દુર્ભાગ્ય... મને વિઘા યાદ જ નથી આવતી. ઊડવા માટે ઊંચો-નીચો થાઉં છું...’ ધરણે વિદ્યાધરકુમાર હેમકુંડલની આપવીતિ સાંભળી. હેમકુંડલે કહ્યું : ‘સમયસર મારા નહીં પહોંચવાથી, ઉજ્જયિનીમાં વિજયકુમારનું મૃત્યુ થઈ જશે... એની પાછળ જયશ્રી પણ આત્મહત્યા કરી નાખશે... મને આ વાતનું પારાવાર દુઃખ છે. જોકે મેં એ બંનેને જોયાં નથી કે મારે કોઈ સંબંધ નથી. પરંતુ મારા પિતાના પરમ મિત્ર વિષ્ણુન્નાલીના મિત્રની એ પુત્રી છે... ને દુઃખી છે એટલું જ હું જાણું છું. દુઃખીનાં દુઃખ દૂર કરવાની આપણી શક્તિ હોય તો આપણે પ્રયત્ન કરવો જોઈએ... આ તો હું અધવચ્ચે ફસાઈ ગયો. વિજયને બચાવવાની ઔષધિ મારી પાસે હોવા છતાં હું એને બચાવી નહીં શકું... આ વાતનું મારા હૈયે દુઃખ છે.’ ધરણે કહ્યું : ‘હે ઉપકારી કુમાર, તમે આકાશગામિની વિદ્યા ભૂલી ગયા છો, એને યાદ કરવાનો શો ઉપાય?’ શ્રી સમરાદિત્ય મહાકથા મને કોઈ ઉપાય જડતો નથી.... તને આકાશગામિની વિદ્યાનાં થોડા પદ પણ યાદ હશે ને?’ ‘હા, એકાદ-બે પદ જ યાદ નથી આવતાં...’ ‘તો તું જેટલાં પદ યાદ હોય તે બોલ...’ હેમકુંડલ બોલ્યો. “પદાનુસા૨ી લબ્ધિ”દ્વારા ધરણે ભુલાયેલાં પદ મેળવી આપ્યાં. હેમકુંડલ હર્ષથી ધરણને ભેટી પડ્યો. For Private And Personal Use Only ૮૧
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy