________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજા, મેં જઈને સાથેના એક મુનિરાજને પૂછ્યું : ‘આ તમારા ગુરુદેવનું નામ શું છે?' તે મુનિએ કહ્યું : ‘અરે વનપાલક, તું ઓળખતો નથી? આ રાજર્ષિ જયકુમાર છે, તમારા પહેલાંના રાજા.’
‘સારું તું જા, હું પરિવાર સાથે, હમણાં જ વંદન કરવા આવું છું ઉઘાનમાં. રાજાએ વનપાલકને પ્રીતિદાન આપ્યું. વનપાલકના ગયા પછી, રાજાએ પ્રતિહારીને બોલાવીને કહ્યું : ‘તું જા અને સાગર-નાગરને તરત જ બોલાવી લાવ.’
પ્રતિહારી ગયો અને પોતાની સાથે જ સાગર-નાગરને લઈ આવ્યો. બંને જણાને મહારાજા પાસે મૂકી, પ્રતિહારી ચાલ્યો ગયો. રાજાએ સાગર-નાગર સામે જોયું.
‘તમે જયકુમાર મુનિને ક્યાં અને કેવી રીતે માર્યા હતા?’
સાગરે કહ્યું : ‘મહારાજા, અમે ઝેરીમલના કહ્યા મુજબ, નંદીવર્ધન સંનિવેશમાં ગયા હતા... ત્યાં બાહ્ય પ્રદેશમાં એક શૂન્ય ધરમાં, કેશ અને અલંકાર વિનાના મુનિને જોયા... અંધારું થઈ ગયેલું એટલે મુખ દેખાતું ન હતું. અમે પાછા ફરી ગયા, બીજા દિવસે એક સાધુને પૂછ્યું. તેણે કહ્યું : ‘જયમુનિ નાગદેવના મંદિરમાં ધ્યાન કરે છે...
અમે નાગદેવના મંદિરમાં ગયા, ત્યાં મુનિને જોયા, એકાંત હતું. નિર્જન જગ્યા હતી... અમે એ મુનિના ગળા પર તલવાર ચલાવી દીધી... તરત જ ગામ છોડીને, અમે નીકળી ગયા.’
‘તમે કોઈ બીજા જ મુનિની હત્યા કરી, મારો દુશ્મન તો હજુ જીવે છે... અને તે આજે પ્રભાતે જ ચંદ્રોદય ઉદ્યાનમાં આવ્યો છે...’
હૈં?’
‘હા, હું હમણાં જ ઉદ્યાનમાં જાઉં છું. બધો વ્યવહાર તો કરવો જ પડશે. નગરમાં પ્રજાને પણ જાણ ક૨વી પડશે. ઉપદેશ પણ સાંભળવો પડશે... પરંતુ અહીંથી એને જીવતો જવા દેવો નથી.
‘ભલે મહારાજા, આપની આજ્ઞા મુજબ અમે ઉપસ્થિત થઈશું.'
સાગર-નાગર ગયા.
રાજાએ પરિવારને ઉદ્યાનમાં જવા માટે, તૈયાર થવા સૂચના આપી. રાજ્યમંત્રીને બોલાવી, નગરમાં ઢંઢેરો પિટાવવાની સૂચના આપી. પોતે પરિવાર સાથે રથમાં બેસી ઉદ્યાનમાં પહોંચ્યો. ભાવપૂર્વક તેણે મુનિરાજને વંદના કરી, કુશળપૃચ્છા કરી.
મુનિરાજે રાજાને અને પરિવારને ધર્મનો ઉપદેશ આપ્યો. મનુષ્યજીવનની દુર્લભતા, સમજાવી, સંસારનાં વૈયિક સુખોની અસારતા સમજાવી. પાપોની ભયંકરતા સમજાવી. પરલોકમાં પાપોના દારુણ વિપાક સમજાવ્યા... લગભગ એક પ્રહર સુધી ઉપદેશ આપતા રહ્યા... પરંતુ વિજયરાજા પર કોઈ અસર ના થઈ... છેવટે જ્યારે શ્રાવકજીવનના ભાગ-૨ ભવ પાંચમો
૮૫ò
For Private And Personal Use Only