________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવી અજિતબલાએ અમારા માટે એક વિશાળ સુશોભિત વિમાન તૈયાર કરાવ્યું. અમિતગતિ તથા પવનગતિને આવશ્યક સૂચનાઓ આપી. અમે સહુ વિમાનમાં આરૂઢ થયાંમંત્રીમંડળ અને દેવઋષભે અમને પ્રેમભરી વિદાય આપી. અમારું વિમાન શ્વેતાબીની દિશામાં ઊડવા લાગ્યું.
બે દિવસ અને બે રાતના સતત પ્રવાસના અંતે અમે શ્વેતાંબીના બાહ્ય ઉદ્યાનમાં વિમાનનું ઉતરાણ કર્યું. પવનગતિને નગરમાં, મહારાજાને સમાચાર આપવા રવાના
કર્યો.
પવનગતિએ વિનયપૂર્વક, મારા પિતાજીને મારા આગમનનું નિવેદન કર્યું. પવનગતિએ પાછા આવીને કહ્યું કે, “હે દેવ, મેં આપનું નામ લીધુંને આપના આગમનના સમાચાર આપ્યા.. કે મહારાજા સિંહાસન પરથી નીચે ઊતરી આવ્યા... તેઓએ બે હાથે મને પકડીને હચમચાવી નાખ્યો.. ને કહ્યું : “હે ભદ્ર, શું સાચે જ મારો પુત્ર સનકુમાર આવ્યો છે?” મેં કહ્યું : “હે પૂજ્ય, તેઓ વિદ્યાધર-નરેન્દ્ર છે. હું તેઓનો પવનગતિ' નામે દૂત છું. તેઓએ મને આજ્ઞા કરી છે કે “મારા પૂજ્ય પિતાશ્રી મહારાજા સૂરજને મારા આગમનના સમાચાર આપી આવ.” આ સાંભળીને, તેઓની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેઓ રોમાંચિત થઈ ગયા. ત્યાં જ તેઓએ મહામંત્રીને આજ્ઞા કરી : “નગરના ચંદ્રોદય ઉદ્યાનમાં પુત્ર સનકુમાર અપાર રિદ્ધિ-સિદ્ધિ અને પરિવાર સાથે આવેલો છે. તેને લેવા માટે સહુએ જવાનું છે. નગરમાં પણ પ્રજાજનને જાણ કરી દો.” હે દેવ, તે પછી તેઓ રાજસભામાંથી ચાલ્યા ગયા. હું પણ ત્યાંથી નીકળીને, સીધો અહીં આવ્યો.'
મેં વસુભૂતિને કહ્યું : “મિત્ર, નગરમાં આપણા આગમનનો ઢંઢેરો પિટાવ્યો છે એટલે તારાં માતા-પિતાને પણ જાણ થઈ ગઈ હશે. તેઓ પણ આવશે જ. મિત્ર, આપણે સહુ ચાલતા નગરના દરવાજા સુધી જઈએ. માતા-પિતાની સામે જવું જોઈએ.'
અમે સહુ ધીરે ધીરે ચાલતા દરવાજા તરફ જવા લાગ્યા. નગરમાંથી વાજિંત્રોનો નાદ સંભળાવા લાગ્યો. અવાજ નજીક આવતો હતો. લોકોનો કોલાહલ પણ સંભળાતો હતો.
દરવાજા પાસે અમે ભેગા થઈ ગયા. પિતાજી અને માતાજી જેવા રથમાંથી નીચે ઊતર્યા, હું એમનાં ચરણોમાં ઢળી પડ્યો. વિલાસવતીએ મારી માતાનાં ચરણોમાં પડી, ચરણસ્પર્શ કર્યો. કુમાર અજિતબલ, સ્તબ્ધ બનીને, અમારું પિતા-પુત્રનું મિલન જોઈ રહ્યો. પિતાજીએ મને ઊભો કર્યો. તેમની છાતીએ લગાડી.. તેઓ રડી પડ્યા. હું પણ રુદનને રોકી શક્યો નહીં. ત્યાં રાજ્યના મહામંત્રીઓએ, અમને
શ્રી સમરાદિત્ય મહાકથા
૮૧e
For Private And Personal Use Only