________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવી અદૃશ્ય થઈ ગયા. વિદ્યાધરી ચારે દિશાઓમાં ઊપડી ગયા. હું અને વસુભૂતિ એ જ શિખર પર રહ્યા.
આ વખતે વિલાસવતીના વિયોગે મને એટલો બધો વ્યાકુળ કર્યો નહીં કારણ કે એને મેળવવાની મારી પાસે દૈવીશક્તિ આવી ગઈ હતી. દેવી અજિતબલા સિદ્ધ થયા હતાં. છતાં વિદ્યાશક્તિના શુભ પ્રસંગે તે ઉપસ્થિત ના રહી શકી, એનું મને ઘણું દુઃખ હતું. બીજી બાજુ, વસુભૂતિ સાથે જ હોવાથી મને એનું સંપૂર્ણ આશ્વાસન હતું. વસુભૂતિ વિલાસવતીની રક્ષા ના કરી શક્યો, એનો વસવસો એના હૃદયમાં હતો, પરંતુ મેં એ વસવસો દૂર કરી દીધો.
અમે પવનગતિ વગેરે વિદ્યાધર સુભટોની પ્રતીક્ષા કરવા લાગ્યા. બે દિવસ પસાર થઈ જવા છતાં કોઈ સમાચાર ના આવ્યા, તેથી અમે બંને થોડા ઉદ્વિગ્ન થયા, પરંતુ અકળાયા નહીં. મને વિશ્વાસ હતો કે વિદ્યાધરો વિલાસવતીનો વૃત્તાંત જાણીને જ આવશે.
ત્રીજા દિવસે સવારે પવનગતિ આવ્યો. તેણે પ્રણામ કરીને, મને કહ્યું : “હે દેવ, દેવીની ભાળ મળી ગઈ છે.’
ક્યાં છે દેવી? કોણ એનું અપહરણ કરી ગયું હતું?' હે નાથ, હું બધો જ વૃત્તાંત આપને કહું છું. હું અહીંથી ભમતો ભમતો વૈતાઢ્યપર્વત ઉપરના રથનૂપુર ચક્રવાલ નામના નગરમાં ગયો. ત્યાં પ્રજાજનોને મેં અશાન્તઉદ્વિગ્ન જોયા. હું નગરના રાજમાર્ગો પર ચાલ્યો. મેં જોયું તો નગરનાં સર્વે મંદિરોમાં પૂજાપાઠ અને હોમ-હવન ચાલી રહ્યાં હતાં. મારે જાણવું હતું કે આ બધું શું ચાલી રહ્યું છે? શા માટે ચાલી રહ્યું છે? મેં એક પ્રૌઢ વિદ્યાધરને વિનયથી પૂછ્યું : હે પૂજ્ય, નગરમાં આ બધું શું ચાલી રહ્યું છે? મંદિરોમાં પૂજાપાઠ... હોમ-હવન થઈ રહ્યાં છે... અને પ્રજાજનો અશાત્ત છે..?”
એ વિદ્યાધરે મને કહ્યું : “ભદ્ર, આ નગરના રાજા અનંગરતિ છે. તેઓ મલયપર્વત પર ગયા હતા અને ત્યાં વિદ્યાસાધના કરી રહેલા કોઈ એક મહાપુરુષની પ્રિયતમાની ઇચ્છા ન હોવા છતાં, તેનું અપહરણ કરી લાવ્યા છે. એ સ્ત્રી રાજાને ઇચ્છતી નથી, તેથી રાજાને આધીન થતી નથી. રાજા એના પર મોહિત થયેલો હોવાથી, એના પર બળાત્કાર કરવા તત્પર બન્યો...”
પવનગતિની આ વાત સાંભળતાં સાંભળતાં, હું ક્રોધાવેશમાં આવી ગયો... હું મારા આસન પરથી ઊભો થઈ ગયો.. જાણે કે મારી સામે જ એ દુષ્ટ વિદ્યાધર રાજા વિલાસવતી પર બળાત્કાર કરતો હોય... એવી ભ્રમણા થઈ આવી.. ને ત્રાડ પાડી. “અરે દુષ્ટ.. અધમ.. મારા જીવતાં તું મારી પત્ની પર બળાત્કાર કરીશ? લાવો મારું ખગ લાવો... હું નરાધમને...” ત્યાં પવનગતિએ મારા બે હાથ હર
| ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only