________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રિ પસાર કરવાનો નિર્ણય કર્યો. આજુબાજુ વેરાયેલાં કોમળ પણ વીણી લાવીને, અમે અમારી શય્યા તૈયાર કરી. લતામંડપનો એ ભૂમિભાગ વિજન અને સઘન હતો. પાસે જ નિર્મળ જળનું નાનું સરોવર હતું. સરોવરમાં શતદલ કમળ ખીલેલાં હતાં. તાલામાલ અને ચંદનનાં વૃક્ષોની સઘનતામાંથી ચંદ્રકિરણો ચળાઈ ચળાઈને આવતાં હતાં. અમે કોમળ પત્રની શયામાં સૂઈ ગયાં. વૈષયિક સુખોની ક્ષણિક તૃપ્તિ, અમને પરમ આનંદનો અનુભવ કરાવી ગઈ... અને અમે ક્યારે પ્રગાઢ નિદ્રામાં સરી પડ્યાં... તેનું કોઈ ભાન અમને રહ્યું નહીં.
અરુણોદય થયો. પક્ષીઓએ કલરવથી વનખંડને ભરી દીધો ત્યારે અમે જાગ્યાં. વિલાસવતી શયામાં બેસી ગઈ. હું સૂતેલો જ હતો. એણે પોતાનાં વકલ-વસ્ત્રો ઠીક કર્યા. મને કહ્યું : “નાથ, આપણે પાસેના સરોવરમાં સ્નાન કરી, શીધ્ર આશ્રમમાં જઈએ. માતા-તપસ્વિની મારી પ્રતીક્ષા કરતી હશે. પુષ્પચયન, કાષ્ઠાનયન, હવન, પૂજાપાઠ... આદિ કાર્યો કરવાના છે.' ‘સુંદરી, આજથી આ બધાં કાર્યો આપણે બંને સાથે કરીશું.” માતાની આજ્ઞા મળશે તો.” મારી આજ્ઞા નહીં ચાલે?
આશ્રમમાં પહેલી આજ્ઞા એ ઉપકારી... જીવનદાત્રી માતાની ચાલશે, તે પછી આપની આજ્ઞા!”
અમે ઊઠીને, સરોવરમાં ગયાં. સ્નાન કર્યું. સ્વચ્છ થયાં, ફૂર્તિ આવી શરીરમાં.. અને આશ્રમ તરફ ચાલવા માંડવાં. મારી વેષભૂષા એક ઋષિકુમાર જેવી જ થઈ ગઈ હતી. આશ્રમમાં જઈને, અમે સર્વપ્રથમ તપસ્વિની-માતાનાં ચરણોમાં પ્રણામ કર્યા. તપસ્વિનીએ પ્રસન્ન ચિત્તે અમને પૂછયું : “તમારી, રાત્રિ સુખપૂર્વક પસાર થઈ?” અમે કહ્યું : “દેવાધિદેવની કૃપાથી અને આપની અનુકંપાથીતેમણે વિલાસવતીને પોતાના ખોળામાં બેસાડી, એને પ્રેમથી આલિંગન આપ્યું.
મેં કહ્યું : “હે ભગવતી, જો આપની આજ્ઞા હોય, અનુમતિ હોય તો અમે બંને ઉપવનમાં પુષ્પચયન કરવા જઈએ?”
તપસ્વિનીએ કહ્યું : “કુમાર, હવે જ્યારે એ મારી પાસે ના હોય ત્યારે તમારે જ એની સાથે સર્વત્ર રહેવાનું છે. મારી પાસે હોય ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની નહીં.”
હું રાજી થયો. મેં કૃતજ્ઞભાવે તપસ્વિનીને પ્રણામ કર્યા.
અમે હજુ તપસ્વિની-માતાની કુટિરમાં જ હતાં, ત્યાં એક તાપસકન્યા આવી અને દૂધ તથા ફળ મૂકીને ચાલી ગઈ. તપસ્વિનીએ કહ્યું : “કુમાર, તમે બંને દુધપાન અને ફળાહાર કરીને, પછી ઉપવનમાં જાઓ. કારણ કે તમને પાછાં આવતાં મધ્યાહ્નકાળ થઈ જશે.'
ભાગ-૨ ૯ ભવ પાંચમો
૭૪૮
For Private And Personal Use Only