________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'qo6h
શરમના ભારથી સંકોચાતી, વિલાસવતી ધીરે ધીરે મારી સાથે સુંદરવનમાં આવી. સુંદરવનના પ્રવેશદ્વાર સુધી પાંચ આશ્રમ-કન્યાઓ વિલાસવતીની સાથે આવી હતી. અમે વનમાં પ્રવેશ કર્યો... કે કન્યાઓ પાછી વળી ગઈ.
હું અધીર બની, મારા બે હાથ ફેલાવી, વિલાસવતી તરફ આગળ વધ્યો... ને બીજા જ પગલે અટકી ગયો.. મને લાગ્યું કે વિલાસવતીના અંગ પર જાણે છયે ઋતુઓ ખીલી ઊઠી છે! વિવિધ પુષ્પોનાં મનોરમ અને કલાપૂર્ણ આભૂષણ એણે ધારણ કર્યા હતાં. એ આભૂષણો તાપસકન્યાઓએ ગૂંચ્યાં હતાં. વિલાસવતી સાક્ષાત્ વનશ્રી જેવી દેખાતી હતી. હરણી જેવી એની આંખો, પૂર્ણચન્દ્ર જેવું મુખ, ધનુષ્ય જેવી એની બે ભ્રમર, ગજરાજની સૂંઢ જેવી એની પુષ્ટ જંઘાઓ અને નવપલ્લવથી પણ વધારે કોમળ એના હાથ... અનાયાસ જ મારા મનને મોહી લેતા હતા.
અમે સુંદરવનમાં આગળ ચાલ્યાં. ત્યાં એલચી-લતાઓથી વીંટળાયેલાં હરિચંદન વૃક્ષોની ઘટાને જોઈ. તે ઘટામાં માલતીનાં છોડ હતા, પ્રિયંગુમંજરીના છોડ હતા. જૂઈ... ચંપા અને મોગરાની સુગંધ વ્યાપ્ત હતી. અમે બંનેએ વૃક્ષોની ઘટામાં પ્રવેશ કર્યો. મંદ મંદ પવન અને અનંગનું ઉદ્દીપન કરનારી પુષ્પસુગંધથી મારું મન વિલાસવતી તરફ મોહિત થતું જતું હતું.
અમે ત્યાં એક કુદરતી બની ગયેલા, લતામંડપમાં જઈને બેઠાં. વાતનો પ્રારંભ મેં કર્યો :
સુંદરી... એ દિવસે ઉપવનમાં જ્યારે તેં મને જોયો હતો... ત્યારે તને આશ્ચર્ય થયું હશે ને? મૃત કુમાર કેવી રીતે સજીવન થઈ ગયો? એટલે તું સ્તબ્ધ થઈ ગઈ હતી ને?'
નાથ, હવે મને સમજાય છે કે જે થાય તે સારા માટે! આપનો ખેતવનમાં વધ કરવામાં આવ્યો છે, એ જાણીને મેં પણ એ જ પ્રેતવનમાં જઈને, આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. એ માટે મધ્યરાત્રિએ મહેલમાંથી નીકળી હતી. જો મને ડાકુઓએ ના પકડી હોત તો મેતવનમાં જઈને, મેં આત્મહત્યા કરી લીધી હોત! તો આજે આપણો સંગમ ના થાત...”
અમારું વહાણ સમુદ્રમાં જ્યારે ભાંગી ગયું, ત્યારે મારા હાથમાં પાટિયું ના આવી ગયું હોત... તો વહાણ સાથે મારી પણ જળસમાધિ થઈ ગઈ હોત તો આજે આપણી સંગમ ના થાત...
સૂર્યાસ્તની તૈયારી હતી. તાપસકન્યાઓએ આપેલાં ફળ ખાધો અને પાણી પીધું. પછી એ જ લતામંડપમાં શ્રી સમરાદિત્ય મહાકથા
૭૭
For Private And Personal Use Only