________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગયા. આંખો બંધ થઈ ગઈ. શરીર થોડું કંપ્યું અને શાંત થઈ ગયું. હું ગભરાઈ ગઈ. મેં એમનું માથું મારા ખોળામાં લીધું. ‘તમને થયું નાથ? તમે કેવી રીતે ગબડી પડયાં?' હું પ્રશ્નો પૂછવા લાગી.. પરંતુ તેમનું પ્રાણપખેરું ઊડી ગયું હતું. મેં ધીરેથી મસ્તક જમીન પર મૂક્યું, અને નંદનવમાં દીન... અનાથ બની ભટકવા લાગી. “કોઈ મારા સ્વામીને બચાવો.. કોઈ નો આવો... હું અનાથ થઈ ગઈ...” હું કરુણ આક્રંદ કરવા લાગી... અને જમીન પર ઢળી પડી. પડતાંની સાથે ચેતના ગુમાવી.
જ્યારે હું ભાનમાં આવી, મેં વિચાર્યું : “હું આકાશમાર્ગે મારા નગરમાં જઈને મારા સસરાને સમાચાર આપું.. આકાશગામિની વિદ્યાનું સ્મરણ કર્યું. પરંતુ મને વિદ્યા યાદ જ ના આવી! હું અત્યંત ભયભીત થઈ ગઈ. મારી આકાશગામિની વિદ્યા જો ચાલી ગઈ હોય તો હું મારા નગરમાં પહોંચી જ ના શકું. હું સાવ ભાંગી પડી. મૂઢ બની ગઈ. મારા પતિના મૃતદેહ પાસે બેસી રહી.
લગભગ એક પ્રહર પસાર થઈ ગયો. ત્યાં અચાનક મેં મારા પિતાજીના ગાઢ મિત્ર “દેવાનંદ' નામના વિદ્યાધર-તાપસને આવતા જોયા. મને જોઈને તેઓ જલ્દી મારી પાસે આવ્યા. મારા પતિના મૃતદેહને જોઈ તેમણે પૂછયું : “હે વત્સ, આ શું થયું?”
ભગવંત, મારા પતિદેવ મૃત્યુ પામ્યા અને મારી આકાશગામિની વિદ્યા વિસ્તૃત થઈ ગઈ..” હું જોરજોરથી રુદન કરવા લાગી. તાપસ દેવાનંદ જેવા વિરક્ત મહાપુરુષની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે મને આશ્વાસન આપવા માંડ્યું :
બેટી, હવે કલ્પાંત ના કર. શોક ના કર. આ સંસાર આવી જ છે. નિઃસાર છે, નિર્ગુણ છે. આ સંસારના સર્વ સંબંધો ક્ષણભંગુર છે. કોઈ સંબંધ શાશ્વત નથી... બધા જ સંબંધો પરિવર્તનશીલ છે... માટે બધા જ સંબંધોનાં મમત્વ છોડી દે... અને શાશ્વત એવા ધર્મનું શરણ અંગીકાર કરી લે.'
મેં કહ્યું : “ભગવંત, આપનાં વચન યથાર્થ છે. મને કૃપા કરી તાપસી-વ્રત આપો.'
તેમણે કહ્યું : “મદનમંજરી, તારા માટે હવે તાપસી-વ્રત જ યોગ્ય છે. પરંતુ તારી, આકાશગામિની વિદ્યા વિસ્મૃત થઈ જવાનું શું કારણ બન્યું?'
‘ભગવંત, હું જાણતી નથી.” તેઓએ આંખો બંધ કરી, જ્ઞાનના આલોકમાં કારણ જોયું.
વજો, તેં સિદ્ધાયતન-કૂટનું, અજ્ઞાનદશામાં ઉલ્લંઘન કર્યું છે. તેના શિખર ઉપર તારી પુષ્પમાળા પડી. તેથી તારી આકાશગામિની વિદ્યા ચાલી ગઈ..”
ભગવંત, ભલે ચાલી ગઈ એ વિદ્યા, મારે એ વિદ્યાની હવે જરૂર નથી. મને તો
છ30
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only