________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા મનમાં પણ ઊઠતો હતો, પરંતુ એનો ઉત્તર મળતો ન હતો.
લગભગ એક મહિનો અમે શ્રીપુરમાં રહ્યા. મેં મનોરથને કહ્યું : “મિત્ર, અમે તારા આગ્રહથી અહીં એક મહિના રહ્યા. તે અમારી કાળજી રાખી છે, કોઈ વાતની કસર રાખી નથી... તારો વેપાર છોડીને તું અમારી સાથે ને સાથે રહ્યો છે... મિત્ર, આપણી મૈત્રી સુદઢ બની છે. જીવનપર્યત આ મૈત્રી અખંડ રહેશે. હવે તું અમને અનુમતિ આપ. સિંહલદ્વીપ જનારું વહાણ ક્યારે ઊપડે છે, તેની તપાસ કર. હવે અમે જઈશું.' મનોરથની આંખો ભીની થઈ ગઈ...
શું તમે જવાના ? મને તમારો સંયોગ ખૂબ ગમ્યો છે. હવે તમારી વિયોગ કેવી રીતે સહન થશે? મેં તમને હૃદયથી ચાહ્યા છે...'
મનોરથ, આપણે તો ભવિષ્યમાં શ્વેતાંબીમાં મળવાના જ છીએ ને?' “મહારાજ કુમાર, તમે શ્વેતાંબી આવશો ને? જરૂર આવજો. જો હું તમારા પહેલા પહોંચીશ તો મહારાજાને તમારી કુશળતાના સમાચાર આપીશ!
કુમાર, મારી એક અપરાધ થયો છે. તમે મને ક્ષમા આપશો ને?” કોઈ જ અપરાધ નથી થયો!”
થયો છે. હું તમારી સાથે અસત્ય બોલ્યો છું! સિંહલદ્વીપે અહીંથી રોજ વહાણ જાય છે. પણ તમને અહીં રોકી રાખવા મેં તમને...' હું અને વસુભૂતિ હસી પડ્યા. મનોરથને ભેટી પડ્યા.
‘કુમાર, આવતી કાલે તમને વિદાય આપીશ. એ પૂર્વે મારે તમને એક વસ્તુ ભેટ આપવી છે.”
તે અમને બંનેને એના ખંડમાં લઈ ગયો. એક પેટીમાંથી તેણે મોટું વસ્ત્ર બાહાર કાઢ્યું. તે તેજથી ઝળહળતું હતું. અતિ સુંદર અને અતિ બારિક હતું. તેણે મને કહ્યું :
સનકુમાર, આ દિવ્ય વસ્ત્ર છે. આનું નામ છે “નયનમોહન. આ વસ્ત્ર ચમત્કારિક
છે!'
શો ચમત્કાર છે?' “આ વસ્ત્ર તમે ઓઢી લેશો એટલે તમને કોઈ મનુષ્ય જોઈ નહીં શકે! તમે અદશ્ય બની જવાના! એવી જ રીતે, આ વસ્ત્ર તમો કોઈ વસ્તુને ઓઢાડી દેશો... તો એ વસ્તુને કોઈ જોઈ શકશે નહીં.”
અમે બંને આશ્ચર્યચકિત થઈ ગયા. વસ્ત્રને હાથમાં લઈ જવા લાગ્યા. મેં કહ્યું : મનોરથ, આવું દિવ્ય વસ્ત્ર તું તારી પાસે જ રાખ. તને ઉપયોગી બનશે.”
મહારાજકુમાર, તમે અત્યારે વિદેશયાત્રામાં છો. તમને આ દિવ્ય વસ્ત્ર વધુ ઉપયોગી બનશે, માટે તમારે જ રાખવાનું છે. આ મિત્રની એક સ્મૃતિ!” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૯
For Private And Personal Use Only