________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બધો પ્રભાવ ગર્ભમાં આવેલા જીવનો હતો. પૂર્ણભદ્ર શ્રેષ્ઠી ગોમતીના આવા અયોગ્ય અને અપ્રિય પરિવર્તનથી દુઃખી થઈ ગયો. પરંતુ એ પરિવર્તનને રોકવા તે સમર્થ ન હતો. નવ મહિના પૂર્ણ થયા. ગોમતીએ પુત્રીને જન્મ આપ્યો.
એક મહિનો પૂર્ણ થયા પછી, પુત્રીનું નામ “ધનશ્રી' પાડવામાં આવ્યું. ધનશ્રી રૂપવતી હતી. લાવણ્યવતી હતી. પૂર્ણભદ્રની વૈભવસંપન્ન હવેલીમાં ધનશ્રીનું લાલનપાલન થવા લાગ્યું. પૂર્ણભદ્ર ધનશ્રીના લાલનપાલન માટે બે કુશળ પરિચારિકાઓને રાખી લીધી. ધનશ્રી પરિચારિકાઓની પાસે જ રહેવા લાગી. ગોમતીને આમેય ધનશ્રી પ્રત્યે અંતરંગ પ્રેમ ન હતો, એટલે પરિચારિકાઓ પાસે ઘનશ્રી રહે, એમાં એ રાજી જ હતી.
કાળકમેં તે તરુણાવસ્થામાં આવી. તેને વિવિધ કળાઓમાં નિપુણ બનાવવા, સ્ત્રીની ૬૪ કળાઓમાં નિપુણ એવી એક વારાંગનાને નિયુક્ત કરી. ઘનશ્રી ૯૪ કળાઓમાં નિપુણ થવા લાગી. એમ કરતાં કાળક્રમે તેણે યૌવનમાં પ્રેવશ કર્યો.
સુશમનગરમાં અષ્ટમીનો ચન્દ્રોત્સવ હતો. આ ચન્દ્રોત્સવ નગરની બહાર મદનલીલા' નામના ઉદ્યાનમાં ઊજવાઈ રહ્યો હતો. આ મહોત્સવ માત્ર સ્ત્રીઓ માટે જ યોજાતો હતો. તેમાં મોટા ભાગે યુવતીઓ, તરુણીઓ.. અને કિશોરીઓ મળતી હતી.
મદનલીલા ઉદ્યાનના મધ્ય ભાગમાં એક સરોવર હતું. પાણીથી છલોછલ ભરેલા એ સરોવરમાં અનેક હંસ તરતા હતા. કોંચ આદિ પક્ષીઓ મધુર સ્વરમાં કૂજન કરતાં હતાં. અસંખ્ય નીલ કમળ અને રક્તોત્પલ સરોવરની શોભા વધારી રહ્યાં હતાં. સરોવરના કિનારે ફળ-ફૂલવાળાં સેંકડો વૃક્ષો હતાં. પશ્ચિમ તરફ એક વિશાળ સમતલ મેદાન હતું. અને એ મેદાનમાં ચન્દ્રોત્સવ ઊજવાતો હતો.
એ ઉત્સવમાં પોતાની સખીઓ સાથે ધનશ્રી પણ રમણે ચઢી હતી. નીલમણિ જેવી તેની જ્યોતિર્મયી મોટી મોટી આંખો હતી. લાલ-લાલ અધર હતા. ઉજ્જવલ ધવલ-દંતપંક્તિ હતી. પતલી કમરમાં સ્વર્ણમેખલા હતી. તેના રક્ત રેશમી વસ્ત્રમાં સ્વર્ણ-તારોની મનોરમ રચના હતી. ધનશ્રી ઘણી વાર સુધી નૃત્ય કરતી રહી, ગાતી રહી, હસતી રહી અને દર્શકોને રિઝાવતી રહી.
નૃત્ય પૂરું થયું. ધનશ્રી સખીઓની સાથે મદનલીલા' ઉદ્યાનમાંથી બહાર નીકળી પરસ્પર હસતી, રમતી, ગાતી સખીઓ નગર તરફ જઈ રહી હતી. માર્ગ ઘણો જ
પ૧ર
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only