________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુદ્રદત્ત ભાગી ગયો, અને કોટવાલે ઘરમાં પ્રવેશ કર્યો. ઘરના દ્વારે જ દાસી મંજરિકા ઊભી હતી. કોટવાલે એને જ પૂછ્યું :
સાર્થવાહની પત્ની ઘરમાં છે કે?’
શું કામ છે તેનું?” મંજરિકાએ પૂછ્યું. કોટવાળે દાસીની આંખોમાં ભય, શંકા અને ગુપ્તતા જોઈ. તેણે કઠોર શબ્દોમાં પૂછ્યું : “અરે દુષ્ટા, દેવીના મંદિરમાં તું તારી શેઠાણીની સાથે ગઈ હતી ને? શું ઋષિહત્યાનો વૃત્તાંત તું નથી જાણત?'
હે આર્ય, મારી સ્વામિનીએ મને, મુનિ ક્યાં રહેલા છે, એની તપાસ કરવા મોકલી હતી.. બસ, એનાથી વિશેષ હું કઈ જાણતી નથી.'
“હે સુંદરી, તું ભય ન પામ. તને અભય છે. તને તારી સ્વામિનીએ, એ મુનિરાજનું સ્થાન જોવા શા માટે મોકલી હતી?'
હે આર્ય, તે મુનિરાજ ગઈ કાલે મધ્યાહુનકાળે ભિક્ષા લેવા પધાર્યા હતા, પરંતુ ભિક્ષા લીધા વિના જ જલદી ચાલ્યા ગયા. તે પછી મારી સ્વામિનીએ મને કહ્યું : મંજરિકા, તું આ મુનિરાજની પાછળ પાછળ જા, અને આ મુનિ ક્યાં રહેલા છે, તે જાણીને જલદી પાછી આવ...' ગઈ મુનિરાજની પાછળ પાછળ... તેમની રહેવાની જગ્યા જોઈ, પાછી આવી, અને મારી સ્વામિનીને વાત કરી. પછી સ્વામિનીએ શું કર્યું. તે હું જાણતી નથી...”
કેમ જાણતી નથી? તું પણ તારી સ્વામિનીની સાથે દેવીના મંદિરમાં ગઈ હતી ને? ત્યાં જઈને એણે શું કર્યું?'
મંજરિકાને લાગ્યું કે... હવે મારે બધી વાત કરી દેવી પડશે. નહીંતર આ કોટવાલ મને છોડશે નહીં.”
મારી સ્વામિનીની સાથે હું ત્યાં ગઈ હતી. અમે મુનિરાજને વંદન પણ કર્યું ન હતું. મંદિરમાં જઈને ચંડિકાદેવીનું પૂજન કર્યું હતું. મને તો એમ લાગે છે કે એ ક્રૂર દેવીની પૂજા, મુનિરાજને મારી નાખવા જ કરી હશે...”
કોટવાલે વિચાર્યું : “હું સાર્થવાહની પત્નીને મળું, અને જોઉં... એની મુખાકૃતિ.. મુખવિકારથી પણ કંઈક સમજી શકાશે.'
કોટવાલે ઘરમાં પ્રવેશ કર્યો. ધનશ્રીને ક્ષોભ થયો. તેની આંખોમાં ભય તરી આવ્યો.
કોટવાલે કહ્યું : “દેવી, મહારાજાએ મને ઋષિહત્યા કરનારની શોધ કરવા મોકલ્યો છે. હું હત્યા કરનારની શોધ કરી રહ્યો છું. તમે રાત્રી ચંડિકાના મંદિરમાં પસાર કરી હતી, એમ મારા જાણવામાં આવ્યું છે. અને ઋષિહત્યા એ મંદિરની પાસે જ થઈ છે. માટે મને તમારા પર શંકા પડે છે. નિર્ણય તો મહારાજા પોતે કરવાના છે માટે ચાલો મહારાજા પાસે.'
શ્રી સમરાદિત્ય મહાકથા
SSE
For Private And Personal Use Only