________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વછેરાને મારી નાખ્યો. અશ્વપાલક ગભરાયો. તેણે જઈને રાજાને ફરિયાદ કરી. રાજા ગુસ્સે થઈ ગયો. એણે આજ્ઞા કરી : “એ પાડાને બાંધીને અહીં લઈ આવો.”
સંનિકો ગયા. મહામુશ્કેલી એ પાડાને બાંધ્યો અને મારતાં મારતાં તેને રાજા પાસે લઈ ગયા. પાડાને જોતાં જ રાજાનો ગુસ્સો આસમાને પહોંચ્યો. “આ દુષ્ટ મારા પ્રિય બાલઅશ્વને હણી નાખ્યો છે.?' રાજાએ પોતાના રસોઇયાને બોલાવીને કહ્યું : “આ પાડાને જીવતો રાખી, એનું માંસ પકાવો.”
રસોઇયાએ સૈનિકોની સહાય લીધી. રાજમહેલની પાછળના ભાગમાં, ચાર દિશામાં ચાર મજબૂત ખીલા ઠોક્યા. પછી પાડાને લોકસાંકળોથી બાંધ્યો. તે સાંકળોને ચાર ખીલાઓ સાથે એવી રીતે બાંધી કે પાડો જરાય આઘોપાછો ના થઈ શકે. તેના મોઢા પાસે મોટું પાણી ભરેલું કપાયું મૂક્યું. તેમાં હિંગ, લવણ વગેરે તીખા, કડવા વગેરે મસાલા ભર્યા. પછી પાડાની ચારે બાજુ ખાડા ખોદીને એમાં લાકડાં ભર્યા. અગ્નિ પેટાવ્યો. ચારે બાજુ પ્રચંડ જવાળાઓ નીકળવા માંડી. પાડો શેકાવા લાગ્યો.. તેને તીવ્ર તરસ લાગી. ગળું શોષાવા માંડ્યું. ચીસો પાડી પાડીને તેણે નગરને ત્રાસ પમાડી દીધી. પેલું પાણી પીતો ગયો ને બળતરા ઊઠતી ગઈ.
તેના એક પડખામાંથી માંસનો લોચો નીકળી પડ્યો... ત્યાર પછી રસોઈયાએ, પાડાના શરીરનું જે માંસ પાકી ગયું હતું, તે કાપી કાપીને, ધીમાં વઘારીને.. તેના પર લવણ ભભરાવીને, રાજાને ખાવા માટે મોકલવા માંડ્યું.
રાજાને પાડાનું માંસ ઓછું ભાવતું હતું, એટલે તેણે રસોઈયાને કહ્યું : “મને બીજા કોઈ પશુનું માંસ પકાવીને, તેની વાનગી બનાવી આપ.'
રસોઇયાને હું યાદ આવ્યો. તરત જ વાડામાંથી મને પકડી મગાવ્યો. હું સ્તબ્ધ થઈ ગયો મારી નશો શિથિલ થઈ ગઈ... હાડકાંના સાંધા તૂટી ગયા. મારા પ્રાણ કંઠે આવી ગયા. ત્યાં તીણ છરાથી રસોઈયાએ મારું બીજું પડખું છેદી નાંખ્યું... એ જ ક્ષણે હું મૃત્યુ પામ્યો.
૦ ૦ ૦ ધનકુમાર, યશોધર મુનિશ્વરનું ચરિત્ર સાંભળતાં સાંભળતાં ક્ષુબ્ધ બની ગયો. તેને કમકમી આવી ગઈ... તેનું હૃદય અકથ્ય મૂંઝવણ અનુભવવા લાગ્યું. તેણે પૂછ્યું :
ભગવંત, એક લોટના બનાવેલા કૂકડાના વધનું અને લોટને માંસ કલ્પીને કરેલા ભક્ષણનું આવું ભયંકર પરિણામ? ભવોભવ આવી કાળી વેદનાઓ અને ભીષણ ત્રાસ?”
હા કુમાર! સર્વ દુર્ભાવોમાં હિંસાનો દુર્ભાવ સૌથી વધારે દુ:ખદાયી હોય છે. ઉર૮
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only