SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [{ ૮૮ H] “માતાજી, બસ કરો. હું કોઈ કાળે માંસભક્ષણ નહીં કરું.” “વત્સ, આ ક્યાં સાચું માંસ છે? જેમ કૂકડો સાચો ન હતો, એમ એનું માંસ પણ ક્યાં સાચું છે? માત્ર લોટ છે?” હે જનની, એ લોટમાં માંસની કલ્પના કરવાની ને?' ‘કલ્પના તો કરવી પડે. પરંતુ હવે આપદ્ધર્મ સમજીને તું આનાકાની કર્યા વિના ખાઈ લે... એટલે આ કામ પૂરું થાય.” માતાના અતિ આગ્રહથી મેં લોટમાં માંસની કલ્પના કરી, તેનું ભક્ષણ કર્યું. મેં ત્યાં ઘોર પાપકર્મ બાંધ્યું. એ કમ્, અને વધ કરવાથી બંધાયેલા કર્મ... મને અનેક જન્મો સુધી ઘોર દુઃખ આપ્યાં. ૦ ૦ ૦ વિશાલાનગરીમાં રાજપુરુષોએ ઉદ્ઘોષ કર્યો : “મહારાજા સુરેન્દ્રદત્ત સાધુધર્મ અંગીકાર કરવાના હોવાથી, રાજકુમાર ગુણધરનો કાલે પ્રભાતે રાજ્યાભિષેક થશે, તો સર્વે પ્રજાજનને રાજસભામાં પધારવા વિનંતી છે.” પ્રજાના માટે બંને વાતો આંચકો આપનારી હતી. મહારાજા કેમ અચાનક નાના રાજ કુમારને છોડીને સાધુધર્મ સ્વીકારવા તત્પર થયા છે અને નાના રાજકુમાર કેવી રીતે વિશાળ રાજ્યનું પાલન-સંચાલન કરી શકશે?' નગરના શ્રેષ્ઠીઓ રાજમહેલમાં મને મળવા માટે આવવા લાગ્યા. સહએ મને સાધુધર્મ ન સ્વીકારવા પ્રાર્થના કરી, પણ મારો નિર્ણય અપરિવર્તનીય હતો. મેં બધાનાં મનનું સમાધાન કરવા પ્રયત્ન કર્યો, પણ મને લાગ્યું કે મોટા ભાગના શ્રેષ્ઠીઓનાં મનનું સમાધાન નહોતું થયું. સહુથી વધારે તો મારે કુમાર ગુણધરને સમજાવવો પડ્યો. એનો મારા પર અતિ મોહ હતો. છતાં મેં એને ખૂબ પ્રેમથી સમજાવ્યો. એ માની ગયો. રાજ્યાભિષેક મહોત્સવ ભવ્યતાથી ઊજવાયો. મેં ઉપસ્થિત સભાજનોને કહ્યું : તમે આજદિનપર્યત જે રીતે મારી આજ્ઞાનું પાલન કર્યું છે, એ રીતે હવેથી રાજેશ્વર ગુણધરની આજ્ઞાનું પાલન કરજો. જ્યાં સુધી તેઓ પરિપક્વ ઉમરના નહીં થાય ત્યાં સુધી રાજમાતા યશોધરા રાજ્યને સંભાળશે. મહામંત્રી અને અન્ય મંત્રીઓ રાજમાતાને સંપૂર્ણ સહયોગ આપશે. મારા પ્રિય પ્રજાજનો, મારું મન સંસારના સર્વ સુખભોગથી વિરક્ત બન્યું છે... હું ગૃહવાસથી ઉદ્વિગ્ન બન્યો છું. મારા ચિત્તને પરમ શાન્તિ... પરમ આનંદ ત્યારે જ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy