SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મનું, શું મહેલમાં. ઘરમાં રહીને આત્માનું કલ્યાણ ના થઈ શકે?' સૂલ ધર્મક્રિયાઓ થઈ શકે, પરંતુ આત્મધ્યાનમાં નિમગ્ન ન બની શકાય. ગૃહવાસનાં બંધનોમાં જકડાયેલો મનુષ્ય કેવી રીતે ને કેટલી વાર આત્મધ્યાનમાં નિમગ્ન રહી શકે? માટે સંસારના પ્રપંચથી નિવૃત્ત થઈ, આવા તપોવનમાં આવીને શેષ જીવન વ્યતીત કરવું જોઈએ.' ‘પણ તે માટે આત્મકલ્યાણ સાધવાની ઇચ્છા જાગવી જોઈએ ને?' રાજન, માત્ર ઇચ્છા નહીં, તીવ્ર ઇચ્છા જાગવી જોઈએ. મારા આત્માને માયાના બંધનમાંથી મુક્ત કરવો છે એ માટે તપ અને જ્ઞાનના માર્ગે જવું છે.. દશ્ય જગત મિથ્યા છે. દશ્ય જગત ઉપરનો મોહ અજ્ઞાનતા છે.' આ વાત હૃદયમાં જચવી જોઈએ.” ‘આપે સાચું કહ્યું મહાત્મ! મારા મનને આ તપોવનનું જીવન ગમે છે. કેવું નિર્દોષ નિષ્પાપ જીવન છે! પરંતુ આ જીવન સ્વીકારવાની ઇચ્છા હજુ જાગ્રત થતી નથી. વિપયિક સુખોની સ્પૃહાઓ ઘણી દઢ છે. ક્યારે એ સ્પૃહાઓ છૂટશે તે નથી સમજાતું.” ભગવદ્ અનુગ્રહથી એ વૈષયિક સુખોની અસારતા સમજાશે રાજન! તમને.. તમારા મનને આ તપોવનનું જીવન ગમે છે, તમને તાપસધર્મ ગમે છે... તપસ્વીઓ ગમે છે.. એ તમારી ઉત્તમતા સૂચવે છે.” મહાત્મનું, મારા મનમાં એક ઇચ્છા જાગી છે... આપ મારા પર કૃપા કરીને, બધા જ તાપસો સાથે મારા રાજમહેલમાં ભોજન માટે પધારો... મને ઘણો આનંદ થશે.” કુલપતિએ કહ્યું : “વત્સ, ભલે એમ હો! પરંતુ એક મહાતપસ્વી સિવાય અમે બધા આવીશું. એ મહાતાપસ રોજ ભોજન કરતો નથી. મહિના-મહિનાના ઉપવાસના પારણે જ એક દિવસ જ તે ભોજન કરે છે. તેમાં પણ પારણાના દિવસે પહેલા ઘરમાં પારણું થાય તો ઠીક... ન થાય તો તે પાછો તપોવનમાં આવી જાય છે, પરંતુ બીજા ઘરે પારણું કરતો નથી. માટે, એ મહાતપસ્વી સિવાય અમે તારી પ્રાર્થનાનો સ્વીકાર કરીએ છીએ.” રોક ર છે - -- -- શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy