SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાનું વક્તવ્ય આપ્યું. વસંતપુરમાં મહારાજાના આગમનનું પ્રયોજન જણાવ્યું અને મહારાજા-મહારાણીના ગુણ ગાયા. ત્યાર બાદ નગરશ્રેષ્ઠીએ ઊભા થઈને મહારાજાના આગમનથી તેમને અને નગરવાસીઓને કેવો અપૂર્વ આનંદ થયો છે તે આનંદ અભિવ્યક્ત કર્યો. અને તરત જ નૃત્યાંગનાઓના વંદે સમૂહગીત સાથે નૃત્યનો પ્રારંભ કરી દીધો, એક ઘટિકા સુધી અભુત નૃત્ય કરીને મહારાજાને પ્રસન્ન કરી દીધા. ત્યાર બાદ નગરના પ્રસિદ્ધ ગાયકવૃંદે પોતાનાં ગીતો ગાઈને સભાને મુગ્ધ કરી દીધી. બે ઘટિકા સુધી ગીત-વાદનનો કાર્યક્રમ ચાલતો રહ્યો. તે પછી હાસ્યકારોના વંદે વિવિધ અભિનયો દ્વારા અને એવી હાસ્યપ્રેરક વાતો દ્વારા સભાને હસાવી-હસાવીને લોટપોટ કરી દીધી. બે પ્રહર પૂરા થઈ ગયા. સભાનું વિસર્જન થયું. રાજા-રાણી હર્ષવિભોર બની ગયાં. વસંતપુરમાં થયેલું આગમન તેમને સાર્થક લાગ્યું. તેમણે મહામંત્રીને કહ્યું : “આવતી કાલે સવારે બધાં પ્રભાતિક કાર્યોથી પરવારીને હું અશ્વ-ક્રીડા કરવા નગરની બહાર જવા ઇચ્છું છું. તમે સવારે પહેલું કામ શ્રેષ્ઠ અથોને તૈયાર રાખવાનું કરજો. તમારે પણ મારી સાથે આવવાનું છે.” મહારાજા, નગરની બહાર થોડે દૂર સહસ્સામ્રવન” નામનું રમણીય ઉદ્યાન આવેલું છે....' મહામંત્રીએ કહ્યું. આપણે અશ્વ-ક્રીડા કર્યા પછી એ ઉદ્યાનમાં થોડો સમય પસાર કરીશું.” મહામંત્રીને વિદાય કરી, રાજા ગુણસેન તેમના શયનખંડમાં ગયા. પલંગમાં પડતાંની સાથે નિદ્રાધીન થઈ ગયા. બીજા દિવસે સિવાય અશ્વ-ક્રીડા, બીજો કોઈ કાર્યક્રમ રાખ્યો ન હતો. મહામંત્રીને બીજા દિવસે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ રવાના થવું હતું. પરંતુ અશ્વ-કીડામાં મહારાજાની સાથે રહેવાનું નક્કી થતાં તેમણે એક દિવસ પછી જવાનું નક્કી કર્યું. ૦ ૦ ૦. પ્રભાતે પાંચ શ્રેષ્ઠ અશ્વો અને અશ્વપાલકોને રાજમહેલના પ્રાંગણમાં હાજર કરીને, મહામંત્રી મહારાજાના સંદેશની રાહ જોવા લાગ્યા. મહારાજાએ સ્નાન... દુગ્ધપાન વગેરે પ્રભાતિક કાર્યો પતાવ્યાં. મહામંત્રીનો સંદેશો મળ્યો, વસ્ત્રપરિવર્તન કરી તરત તેઓ બહાર આવ્યા. એક મનપસંદ અશ્વ પર આરૂઢ થઈ, અશ્વપાલકોને બીજા અશ્વોને લઈ પાછળ આવવા ઇશારો કર્યો. મહામંત્રી તેમના અશ્વ પર બેસી, મહારાજાની પાછળ ચાલ્યા. નગરની બહાર તેઓ એક વિશાળ સપાટ મેદાન પર આવ્યા. ભાગ-૧ ૯ ભવ પહેલો પર For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy