SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘર્મયૌવન પામવા માટે કરવાની એની ભાવના છે. ભોગસુખો ભોગવવાથી તો યૌવન વેડફાઈ જાય છે. સુજ્ઞપુરુષે, યૌવનનો વિનિયોગ ધર્મપુરુષાર્થમાં કરવો જોઈએ.' ગુરુદેવ ઠીક છે આપની વાત, પરંતુ ભોગસુખો ભોગવવાથી એનાં પરિણામ ભયંકર આવે છે, એવું માનવું ભૂલભરેલું નથી? તો તો ભોજન કરવાથી, જલપાન કરવાથી, વસ્ત્ર ધારણ કરવાથી પણ માઠાં ફળ ભોગવવાં પડશે ને? એટલે ભોજન, પાણી, વસ્ત્ર બધું જ છોડી દેવું જોઈએ...!” ‘પિંગલ, ક્રમશ: બધાનો ત્યાગ કરવાનો હોય છે. કારણ કે છેવટે તો સમગ્ર સંસાર છોડવાનો છે ને! સર્વ સંગના પરિત્યાગરૂપ મોક્ષ જ મેળવવાનો છે! એટલા માટે મુનિજીવનની સાધના છે. મુનિજીવનમાં સ્નેહી-સ્વજનોનો સહવાસ-સંયોગ રહેતો નથી, તેથી વિષયભોગ કરી શકાતા નથી. એટલે, આહાર-પાણી... વસ્ત્ર, પાત્ર વગેરેનો ઉપભોગ કરવા છતાં એનું પરિણામ ભયંકર આવતું નથી, સાધુ કેવળ દેહને ધારણ કરવાની ભાવનાથી, અનાસક્ત ભાવે આહારાદિ ગ્રહણ કરે છે, | વિષયભોગ કરે છે છતાં પાપકર્મોથી લપાતો નથી.' પિંગલે પૂછયું : “ગુરુદેવ, જેમ સંસારમાં મૃત્યુને રોકી શકાતું નથી તેવી રીતે સાધુજીવનમાં પણ મૃત્યુને વારી શકાતું નથી, સાધુને પણ મરવું પડે છે. એટલે મૃત્યુના ભયથી સ્મશાનમાં જઈને સૂઈ જવા જેવી વાત શિખીકુમારે કરી છે! ભલે, પરલોક માનીએ, પરંતુ દુઃખ ભોગવવાથી સુખ મળતું નથી. સુખ તો સુખનાં સાધનોનું સેવન કરવાથી મળે છે. સાધુજીવનનાં દુઃખો સહવાથી દુઃખ વધશે... સુખ નહીં વધે માટે હું શિખીકુમારને કહું છું કે એ સાધુ બનવાની વાત છોડી દે...” આચાર્યદેવે કહ્યું : “પિંગલ, તું સાધુતાના પાલનનું ફળ નથી જાણતો! એનું ફળ છે નિર્વાણ, નિર્વાણ થયા પછી આત્મા અજર-અમર અને અજન્મા બની જાય છે. મુક્ત આત્મા દેહમુક્ત હોય છે. જ્યાં દેહ નહીં. ત્યાં મૃત્યુ નહીં. જ્યાં દેહ નહીં ત્યાં વૃદ્ધત્વ નહીં, રોંગ અને વ્યાધિ નહીં. ત્યાં ઇષ્ટનો વિયોગ નથી હોતો કે અનિષ્ટનો સંયોગ નથી હોતો. ત્યાં ભૂખ નથી હોતી કે તરસ નથી હોતી. ત્યાં રાગ-દ્વેષ નથી હોતા. ત્યાં કષાયોના ઉપદ્રવ નથી હોતા. ત્યાં આત્માઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે. ત્યાં આત્માને અનુપમ સુખ હોય છે. હે પિંગલ, આવો મોક્ષ પુરુષાર્થ વિના મળતો નથી.... ક્ષણે-ક્ષણે મૃત્યુ પામતા જીવે, મૃત્યુ પર વિજય મેળવવા પુરુષાર્થ કરવો જોઈએ. એવો પુરુષાર્થ કરનારાઓ સ્મશાનમાં જઈને સૂઈ નથી જતાં, પરંતુ સ્મશાનમાં જઈને રાતભર કાયોત્સર્ગ-ધ્યાન કરતાં હોય ભગવંત શું સાધુજીવનમાં દુઃખ નથી?” નથી, સાધુજીવનમાં જેવું સુખ હોય છે તેવું સુખ તો ચક્રવર્તી રાજાને પણ હોતું ૪૪ ભાગ-૧ ( ભવ ત્રીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy