SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમને દયા નથી આવતી...?” કુમુદિની રડી પડી. આ રીતે રડી પડવાની એની ટેવ હતી. મહારાજા આ ટેવ જાણતા હતા, એટલે રાણીના રુદનની કોઈ અસર તેમના પર ના થઈ. “ભાગીને ક્યાં જશે? જ્યાં જશે ત્યાંથી હું પકડી લાવીશ! પરંતુ એ ભાગી જવાનો ભય દેખાડીને, સ્વચ્છંદી બનીને પ્રજાને દુઃખ આપે તે મને નથી પાલવતું.” તમને પેલા કદરૂપા બ્રાહ્મણ-પુત્રની દયા આવે છે, તમારા પોતાના દીકરાની દયા નથી આવતી...” નિર્દોષ ઉપર દયા આવે. દોષિત પર નહીં. બ્રાહ્મણ-પુત્ર નિર્દોષ છે. માટે એના પર દયા આવે છે. નિર્દોષ પ્રજાજનોને રિબાવનાર રાજા બનવા લાયક નથી.' મધ્યાહ્નના ભોજનનો સમય થઈ ગયો હતો. કુમાર ગુણસેન મહારાજાની સાથે ભોજન કરવાનું પસંદ કરતો ન હતો. મહારાજા ભોજન કરી લે પછી એ ભોજન કરવા આવતો. પુત્રને જમાડીને પછી રાણી પોતે ભોજન કરતી. પરંતુ આજે અચાનક કુમાર રાણીવાસમાં આવી ગયો. ત્યાં મહારાજાને જોઈને રાણીવાસના દરવાજે જ ઊભો રહી ગયો. મહારાજાએ કુમારને જોયો. પિતા-પુત્રની દષ્ટિ મળી. મહારાજાએ કહ્યું : “આવ કુમાર, ભોજનનો સમય થઈ ગયો છે. આપણે આજે સાથે ભોજન કરીશું.” કુમાર ના પાડી શક્યો નહીં. કારણ કે મહારાજાએ પૂછ્યું નહોતું, આજ્ઞા જ કરી હતી. રાણી કુમુદિનીના પેટમાં ફાળ પડી. ‘આજે જરૂર પિતા-પુત્રની વચ્ચે ઝઘડો થઈ જશે.' પિતા-પુત્ર પાસે-પાસે ભોજન માટે બેઠા. કુમુદિનીએ બંનેની થાળીમાં ભોજન પીરસ્યું. પીરસતાં-પીરસતાં એ વારંવાર મહારાજા સામે જોતી હતી, પરંતુ મહારાજાની દૃષ્ટિ થાળી પર સ્થિર હતી. એ વિચારમાં ડૂબેલા હતા : “જમતાં પહેલાં વાત કરવી નથી, જમ્યા પછી વાત કરું. ખાલી પેટ ઠપકો પચાવી શકતું નથી. ભર્યું પેટ ઠપકો એટલે કે સાચી વાત પચાવી શકે...” પિતા-પુત્રે મૌન ધારણ કરીને ભોજન કર્યું. કુમારે હાથ ધોયા, કે મહારાજાએ કહ્યું : “કુમાર, મારે તને એક વાત કહેવી છે.” કુમાર મૌન રહ્યો. એટલે મહારાજાએ એની સામે જોયું. કુમારે રાણીની સામે જોયું. ‘કુમાર, તું અને તારા મિત્રો, પેલા બ્રાહ્મણપુત્ર અગ્નિશર્માને ત્રાસ આપો છો, એ વાત સાચી છે ને?' “પિતાજી, અમે એની સાથે રમીએ છીએ, અમને મજા આવે છે... રમવામાં શ્રી સમરાદિત્ય મહાકથા ૧3 For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy