SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજાએ પૂછયું : “તમારું શું શું ચરાયું છે? તમે મંત્રીને ચોરાયેલી વસ્તુઓનાં નામ.. વજન. કિંમત વગેરે લખાવી દો, હું નગરમાં ઘોષણા કરાવીને તપાસ કરાવું છું.' ચંદન શ્રેષ્ઠીએ ચોરાયેલી વસ્તુઓની માહિતી લખાવી દીધી. રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવી દીધો : “ચંદન સાર્થવાહના ઘરમાંથી આ આ વસ્તુઓની ચોરી થઈ છે. જે કોઈ માણસ પાસે આમાંની કોઈપણ વસ્તુ લેવડ-દેવડ કરતાં આવી હોય તેણે રાજસભામાં જઈને મહારાજાને જાણ કરવી. જાણ નહીં કરે અને એના ઘરમાંથી તપાસ કરતાં એ વસ્તુઓ મળી આવશે તો મહારાજા એનું બધું જ ધન અને ઘરબાર લઈ લેશે. તેને કેદમાં પૂરશે અને કડક સજા થશે.” યજ્ઞદત્ત આ અવસરની જ રાહ જોતો હતો. મને રાજદંડના ફંદામાં ફસાવવા માટે જ આ કામ એણે કર્યું હતું. તેણે ચાર દિવસ જવા દીધા. પાંચમાં દિવસે એ રાજસભામાં ગયો. મહારાજાને લળી લળીને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું : મહારાજા, હું જાણું છું કે મિત્રના દોષ પ્રગટ કરવા ઉચિત નથી. પરંતુ મિત્ર જો લોક-વિરુદ્ધ કાર્ય કરે. પરલોક-વિરુદ્ધ કાર્ય કરે.... પોતાનું પણ અહિત કરે.... તો એ મિત્ર મિત્ર નથી રહેતો. રાજા કે પ્રજાનું અહિત કરનાર વ્યક્તિને જાણવા છતાં, ઓળખવા છતાં જો હું એની ઉપેક્ષા કરું તો હું પણ ગુનેગાર બનું! ચંદન શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરનાર મારો મિત્ર જ છે.” કોણ છે તારો એ મિત્ર?” રાજાએ કડકાઈથી પૂછ્યું. અપ્રતિહત શ્રેષ્ઠીનો પુત્ર ચક્રદેવ!' તે કેવી રીતે જાણયું?' ચક્રદેવના નજીકના સંબંધી પરિવાર પાસેથી મેં સાંભળ્યું છે. મને વાત કરનાર પ્રમાણભૂત પુરુષ છે. ચોરીનો બધો જ માલ ચક્રદેવે પોતાની હવેલીમાં છુપાવ્યો છે.' રાજાએ કહ્યું : “આ વાત સાવ ખોટી છે. ચક્રદેવ જેવો પવિત્ર અને ગુણવાન યુવાન ચોરી કરે? હું માની શકતો નથી. તે ઉત્તમ કુળમાં જન્મેલો છે, ઉત્તમ સંસ્કાર પામેલો છે.. અને એની પાસે વિપુલ સંપત્તિ છે. એ ચોરી શા માટે કરે ?' યજ્ઞદત્ત ગભરાયો. તેને પોતાની યોજના નિષ્ફળ જતી લાગી. તેણે તે છતાં પોતાની વાત સિદ્ધ કરતાં કહ્યું : મહારાજા, આપ કહો છો, તે તદ્દન સાચું છે... એ મારો મિત્ર છે, એને હું જાણું છું... પરંતુ લોભદશા કોનું પતન નથી કરતી? અજ્ઞાનદશા કોને ખોટા રસ્તે નથી દોરતી? ભલે ને એ ઉત્તમ કુળમાં જન્મ્યો છે, પરંતુ ઉત્તમ સુગંધી પુષ્પોમાં શું કડા ૨૨૮ ભાગ-૧ * ભવ બીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy