________________
વિરાગની મસ્તી
૪૯
માંસથી લથબથતી કાયાને ઘોર તપની સાધનાથી શોષી નાંખી. સહેલાઈથી ગણી શકાય તેવી રીતે હાડકાં બહાર કાઢી નાંખ્યા! પુનઃ પુનઃ વંદન હો એ શાલિભદ્રને!' એમ કહીને દા” નમી જતા.. સહુના મસ્તક ઝૂકી જતાં.
જ્યારે દા' કોઈ પણ વાત કરે ત્યારે એનું આબેહૂબ ચિત્ર એવું ખડું કરી દે કે સાંભળનારને એમ જ લાગે કે એ આખુંય દશ્ય આંખ સામે બરોબર દેખાઈ રહ્યું છે! અવસરે દાગંભીર બની જતા અને તક મળે ત્યારે રમૂજની હવા પણ ફેલાવી દેતા; ટૂંકમાં તેઓ ધર્મસભાને બહુ જ સારી રીતે કાબુમાં રાખી શકતા અને પોતે ધારી હોય તેવી લાગણીઓ દરેક શ્રોતાના અંતરમાં ઊંડે ઊંડે ઉત્પન્ન કરી દેતા.
આ રીતે દાએ અનેક આત્માઓના હૃદયપરિવર્તન અને જીવનપરિવર્તન કર્યા. એ સિદ્ધિ દા'ને મન કોઈ નાનીસૂની ન હતી. એનો આનંદ પણ એમના ઉરમાં સમાતો ન હતો.