________________
४८
વિરાગની મસ્તી
ધારત તો માત્ર નજર ફેંકીને એ કાળચક્રના ચુરા કરી નાંખત. પણ જાણે પ્રભુએ વિચારી લીધું હતું કે એ આગ બન્યું તો હું પાણી જ છું ને? જગતને આજે સમજાવી દઉં કે બળવાન આગ પણ પાણી પાસે તો “બિચારી છે. રૂની ગંજીને ભલે એ બાળી શકે, મોટા વનોને ભલે એ જલાવી શકે. શહેરોના શહેરોને એકસાથે ભલે ભડથું કરી શકે પણ જ્યાં સુધી પાણી નથી ત્યાં સુધી જ... પાણી સામે આગનું કોઈ મૂલ્ય નથી, કશું ય બળ નથી.... સંગમનું કાળચક્ર ક્રોધનું પ્રતીક છે તો હું ક્ષમાનું પ્રતીક છું. ક્રોધ આગ છે; ક્ષમા પાણી છે લાવ, કરી લઉં મુકાબલો અને વિશ્વને આપી દઉં મૂક તત્ત્વજ્ઞાન પાણીના અભુત બળનું. પ્રભુના આ વિચારે જ જાણે સંગમના કાળચક્રને વધાવી લીધું. ધમધમાટ કરતું કાળચક્ર ધસી આવ્યું અને ભયંકર કડાકા સાથે ક્ષમામૂર્તિની કાયા સાથે ટકરાયું! એના આઘાતે પ્રભુને અડધા જમીનમાં ઉતારી નાંખ્યાં!!” આટલું બોલતાં બોલતાં તો દા'ની આંખો અશ્રુભીની થઈ જતી. ધર્મસભાનો પ્રત્યેક શ્રોતા ગદ્ગદ્ થઈ જતો. સહુના અંતર બોલી ઊઠતા, “ધન્ય એ મહાવીરદેવને! ક્ષમાની પણ કેટલી પરાકાષ્ટા!” જરા સ્વસ્થ થઈને દા' કહેતા, “એ દુષ્ટ દેવાધમ સંગમે આટલું બધું વિતાડ્યું પણ પ્રભુ અચળ તે અચળ જ રહ્યા. અંતે સંગમ થાકીને પાછો જાય છે ત્યારે ઘોર વેદના ભોગવતી વખતે પણ જેનાં નેત્રોમાં આંસુ આવ્યાં નથી એ મહાવીરદેવની આંખો આંસુથી ઊભરાઈ ગઈ. પરમાત્માએ વિચાર્યું, “મારા નિમિત્તે આ જીવે કેટલાં પાપ બાંધ્યાં! બિચારો ચોર્યાશીના ચક્કરમાં
ક્યાં ક્યાં ધૂમશે? કેટલું દુઃખ વેડશે? અરરરર.. એનું શું થશે? મારા તો કઈ કર્મોના ભુક્કા ઊડી ગયા રે! આ રીતે મારી ઉપર ઉપકાર કરનાર ઉપર મારા નિમિત્તે શું અપકાર થઈ ગયો!''
ભગવાનની મંગલ કરુણાથી ગદ્ગદ્ થઈ ગયેલ દા” આથી વધુ ભાગ્યે જ બોલી શકતા. પછી તો એ ક્યાંય સુધી આંસુ વડે પરમાત્માની ક્ષમાની મૌક્તિક પૂજા કરે જતા.
ક્યારેક શાલિભદ્રની અઢળક સમૃદ્ધિનું વર્ણન કરતા. દા” કહેતા કે અખંડ ભારતના નિઝામની તમામ સંપત્તિ પણ શાલિભદ્રની સમૃદ્ધિ પાસે સાવ વામણી લાગે. આવી સમૃદ્ધિને ય શાલિભદ્ર લાત મારી. પછી દા” એની પુરુષાર્થ ગીતા સંભળાવતા ત્યારે તો આખી સભા સ્તબ્ધ થઈ જતી. “આવો વૈભવી આટલી હદ સુધી વિરાગી બની ગયો.”
જેના પગનાં તળિયાં એટલે માખણની ગાદી જ જોઈ લ્યો! ખુલ્લા પગે ગામેગામ ચાલીને સંત શાલિભદ્ર એ તળિયાની ચામડીઓમાં ચીરાડો પાડી નાંખો!