________________
४०
વિરાગની મસ્તી
એટલે આ રીતે તો આત્મા નિત્ય અને અનિત્ય બે ય કહેવાય. બસ, ત્યારે આજ રીતે જુદી જુદી દૃષ્ટિએ આત્મા દેહથી અભિન્ન અને ભિન્ન પણ કહેવાય. સોય લાગતાં દુઃખની લાગણી થાય છે. માટે એ દૃષ્ટિએ આત્મા દેહથી અભિન્ન છે; મડદાને સોય મારતાં દુઃખની લાગણી થતી નથી માટે તેને દેહથી ભિન્ન પણ માનવો જોઈએ. એટલે જ મડદું સળગ્યા પહેલાં આત્મા પરલોકમાં ચાલ્યો જાય છે એ વાત બરોબર ઘટી જાય છે. બસ, બસ. આજે આ વાત બેસી ગઈ. હવે પ્રશ્ન થાય છે કે જુદા જુદા ધર્મગ્રંથો પોતે એકકી જ વાત પકડીને તેના જ સમર્થનમાં બધું કહે છે તે કેમ? કેમ બે ય વાતોને કોઈ માન્ય કરતું નથી? એક વસ્તુ જાતજાતના અગણિત સ્વરૂપે જ હોય તો તેમ માનવામાં વાંધો શું? જુદી જુદી અપેક્ષાએ એક જ માણસ કાકો, મામો, ભત્રીજો, સાળો, બનેવી નથી હોતો? તેમ એક જ આત્મા નિત્ય-અનિત્ય બે ય ન હોય? જરૂર હોઈ શકે; તો પછી આ લોકો બન્ને વાતો કેમ નથી માનતા? એમને એમ માનવામાં વિરોધનો ભય પેસી ગયો તે તદ્દન ખોટો નહિ? જાદી જુદી સરખામણીએ ઘટના કરતાં વિરોધ રહ્યો જ ક્યાં ? દા'ના મનના ઘણા પ્રશ્નો વિમળશેઠની વ્યવહારુ બુદ્ધિએ ઉકેલી નાંખ્યા પણ હવે આ બધા ધર્મ આમ કેમ એકેકી જ વાત પકડી રાખે છે તે પ્રશ્નનો ઉકેલ બાકી રહી ગયો.