________________
IL
વીર ! મધુરી વાણી તારી
અત્યંત ભવ્ય અને અત્યંત ઉગ્રસ્વરૂપ આ જિનાજ્ઞા (જિનાગમ)નો અભ્યાસ ખૂબ જ સાવધાની સાથે કરવો જોઈએ.
જિનાજ્ઞા સ્વરૂપ જિનાગમનો અભ્યાસ એટલે – (૧) જિનાગમનું ગુરુગમથી વિધિવત્ ગ્રહણ કરવું. (૨) એ જિનાગમને સ્વાધ્યાયાદિ દ્વારા આત્મામાં ભાવિત કરવું. (૩) અંતે એ જિનાગમાનુસારી-સર્વાશે-જિનાજ્ઞા પરતંત્ર જીવન જીવવું.
ગુરુપારતન્ય ઃ ગીતાર્થગુરુ (આચાર્ય)ની નિશ્રામાં જે મુમુક્ષુઓ જિનાજ્ઞાનો બોધ મેળવે છે, એને અંતરમાં ભાવિત કરે છે અને અંતે એને જ પોતાનું જીવન સમર્પ દે છે એ મુમુક્ષુઓ જ જિનાજ્ઞાના સાચા પાલક બની શકે છે.
ઉત્સર્ગ અપવાદની આંટીઘૂંટીઓના ઉકેલ, નિશ્ચય-વ્યવહારની કક્ષાઓના ભેદના સ્વચ્છ દર્શન, વગેરે સિદ્ધિઓ ગુરુપરતંત્રની એટલી બધી કઠોર સાધના માગી લે ચે કે જેને અહીં શબ્દોમાં મૂલવી શકાય તેમ નથી.
ગીતાર્થ ગુરુની નિરપવાદ શુદ્ધ શરણાગતિ વિના ઘોર ત્યાગ અને તપ કદાચ થઈ શકશે, બડભાગી વક્તા કદાચ બની શકાશે, અજોડ લેખક પણ બની જવાશે. પરંતુ શાસ્ત્રના અક્ષરોના અગાધ ઉધધિના તળિયે પડેલા અર્થોના અગમનિગમ રહસ્યોનો તાગ તો નિરપવાદ ગુરુપરતંત્ર વિના કદી પામી શકાય તેમ નથી.
તમે શાસ્ત્રનું યથાવિધિ સેવન કરો. માત્ર ગુરુપરતંત્ર્યને બાજુ ઉપર મૂકીને
પછી જુઓ શું શું નથી બનતું? તમામ જીવનમાં શા શા ઉલ્કાપાત નથી જાગતા ?
મારી દષ્ટિએ તો એળી જીવન નૌકાના નશીબમાં અણદીઠાં ભેદી ખડકોએ ટકરાઈ જઈને ભુક્કા બોલી જવા સિવાયનું કોઈ પરિણામ સંભવી શકતું નથી.
એવા શાસ્ત્રજ્ઞો ભલે પોતાને પ્રવચન સુધી કે પ્રવચનમર્મજ્ઞ કહેવડાવતા હોય.... તેમ જ હશે; પરંતુ એમના જીવનમાં તેઓ સ્વનું હિત સાધી જાય છે તો કદાપિ શક્ય લાગતું નથી.
આવા સમયજ્ઞોના ખભે જો જિનશાસનની ધુરા મૂકવામાં આવે તો ઘણાઓનું ઘણું ઘણું અહિત થઈ જાય.
ભગવંતની ભક્તિના નામે ભગવંતની આજ્ઞાવિરુદ્ધ ઘણી પ્રવૃત્તિઓ અમલમાં