SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ | | _ વીર મધુરી વાણી તારી એ જ વર્તમાનકાળના શાસન સુભટો. શાસન પ્રભાવકો. શું આ બધું ય આ દુઃષમાકાળમાં જ શક્ય નથી? | હા, તો એ વાત નિશ્ચિત થઈ ગઈ કે જિનની આજ્ઞાનું પાલન સર્વકાળમાં શક્ય છે અને તેથી એ આજ્ઞા પાલનનું ફળઅપવર્ગના પરમધામ પ્રતિ વેગવંતી ગતિની સિદ્ધિ એ ય સુશક્ય છે. દ્વાદિંશદૂહાáિશિકા ગ્રંથમાં ટીકાકાર રે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “જિનાજ્ઞાની અવગણના કરનાર આત્મા ભયાનકમાં ભયાનક આપત્તિઓને સ્વહસ્તે જ નિમંત્રણ કરે ચે.” આજ્ઞાને અગ્નિની ઉપમા આપી શકાય. જો વિધિવત્ સેવન કરવામાં આવે તો એ અગ્નિ અનાદિકાળની રાગાદિભાવોની ઘર કરી ગયેલી શરદીને મટાદી દે. પણ જો જરાક ગફલતમાં રહી જવાય અને અવિધિ થઈ જાય તો એ જ અગ્નિ બાળીને ખાખ કરી નાંખે. બેશક ત્યાં અગ્નિનો અપરાધ નથી, પરંતુ વ્યક્તિના પ્રમાદનો છે. પ્રકાશ દેતા સૂર્યનો અપરાધ જાહેર કરતાં એમ ન કહેવાય કે પ્રકાશમાં તેણે વ્યક્તિના પગમાં કાંટો ઘોંચી દીધો. છતે પ્રકાશે કાંટો લાગવામાં તો ચાલનાર વ્યક્તિનો પ્રમાદ જ અપરાધી છે. આ રીતે જિનાજ્ઞાની ઉગ્રતાને પણ જો નજરમાં રાખીશું તો એનું સેવન કરતાં જરા ય અવિધિ ન થઈ જાય તેની ખૂબ જ કાળજી રહેશે. એની માત્ર સૌમ્યતાને જોયા કરીશું તો આ કાળજી લગભગ અશક્ય બની જશે. એનું પરિણામ શું? અવસ્થ મરનાર ભલે ઊભો રહે, જીવતો રહે. પણ એની કિંમત શી? જો આવતી કાલે પણ તેનું મૃત્યુ અફર છે! અને કદી નહિ મરનાર જિનશાસનને વહેલું મરનાર, જીવીને ય જગતમાં શું મેળવી જવાનો છે! કોણ મહાન! જાત કે જિનશાસન? કોના જીવન-મરણમાં આપણા જીવનમરણ ! શા માટે આ વાતને સમજવા આપણો યત્ન નહીં હોય! ખૂબ જ અફસોસની આ વાત છે કે જાતના સન્માનને જીવા રાખવા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ જ લગભગ ક્યાંય દેખાતી નથી. જાણે સહુના પોતાના મનમાં પોતે રમે છે. વ્યક્તિના અંતરમાં વ્યક્તિનું વ્યક્તિત્વ જ ખીલે છે. જો પ્રત્યેકના અંતરની આ જ રીતરસમ હોય તો પરમાત્મશાસન ક્યાં વસ્યું છે
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy