SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી પાત્રતા વિના બધું નકામું: આથી જ તો રસાયણસમી ધર્મક્રિયાઓ ગમે તેને કાપી દેવાની શાસ્ત્રકારો મનાઈ ફરમાવી છે. એને માટે અપાત્ર જીવોનું હિત તો રસાયણ ન ચાખવા દ્વારા જ કાંઈક થઈ શકે. નાલાયક દર્દી માટે ખરો હિતેષી વૈદ્ય તે જ છે જે તેને રસાયણ નથી આપતો..... કેમકે એ રીતે પણ એના જીવનમાં રસાયણથી ફૂટી નીકળતાં આવનારા સંભવિત ત્રાસોથી એ મુક્ત તો રહેશે જ ને? પાત્રતા એ તો વિકાસની સર્વપ્રથમ શરત છે. લાયકાતને પિછાણ્યા વિના વસ્તુને જ મહાન માનીને તે વસ્તુ આપી દેવાની કરુણ કરવાની વૃત્તિવાળાઓ તો પહેલા નંબરના નાલાયકો છે. જેના હાથમાં પથ્થર છે એના હાથમાં પથ્થર જ રહેવા દો.. જો એ નાલાયક હોય તો, એની નાલાયકીની ઉપેક્ષા કરીને,.... “બિચારા પાસે પથ્થર જ છે' એવી કરુણા દાખવીને જો હાથમાં એટમબોમ્બ આપી દેશો તો... તો શું થશે એ હું કહી શકતો નથી. તમે પથ્થર મારવાના સ્વભાવવાળાને એટમબોમ્બ આપો છો? અને તે ય મારવાનો એનો સ્વભાવ છોડાવ્યા વિના જ! ઓહ! પછી તો એના હાથે જગતમાં કયો વિનાશ આડેધડ નહિ વેતરાય તે પ્રશ્ન છે! મારવાની નાલાયકી છોડાવ્યા વિના જ! ઓહ! પછી તો એના હાતે જગતમાં કયો વિનાશ આડેધડ નહિ વેતરાય તે પ્રશ્ન છે! મારવાની નાલાયકી છોડાવ્યા વિના પથ્થર છોડવાનો અને એટમબોમ્બ દઈ દેનારો કરુણારૂં નથી. રે! અધ્યાત્મની દુનિયામાં તો એના જેવો બેવકૂફ કોઈ નથી. ફરી એ વાત કરું છું કે લાયકાત જ બહુ મોટી વાત છે! અને બીજી બાજુ લાયક-નાલાયકની પરીક્ષા જ બહુ મોટી ગુરુતા છે ! લાયક જ શિષ્ય બની શકે ! પરીક્ષક જ ગુરુ બની શકે! નાલાયક જો શક્તિમાન બની જાય અને અપરીક્ષક જો ગુરુ બની જાય તો આ જિનશાસનનો ખૂબ વહેલો વિનાશ થઈ જાય એમ કહું તો કદાચ ખોટું નહિ ગણાય. આપણે મૂળ વાત ઉપર આવીએ. અભવ્યો અને દુર્ભવ્યો ઉપર પરમાત્માનો સ્વભાવ કાંઈ જ કરી શકતો નથી. એમની તમામ ક્રિયાઓ મોક્ષસાધક બની શકતી નથી.
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy