SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી વગેરે ઉપધિ રાખવી પડે. તે રાખે તો અવશ્ય મૂચ્છ થવાની એમને આપત્તિ આવે છે. (શરીર સાથે છતાં તેમાં મૂર્છા નથી થતી!) મૂચ્છતને કેવળજ્ઞાન નાસી જાય! એટલે વસ્ત્રપાત્ર તો ન જ જોઈએ એવું તેમનું મંતવ્ય છે. જ્યારે આ વાત તેમણે પકડી રાખી એટલે કેવલીને સુધાવેદનીયના ઉદયથી થથી આહારકરણની વાત પણ ઉડાડી. અને એમને પરમોદારિક શરીરની કલ્પના કરી. હવે જો દેશનામાં મોંથી બોલે તો થાક લાગે, થાકી જાય તો ભૂખ લાગે તો વળી બધી મુશ્કેલીઓ ઊભી થાય. તેમ ન બને તે માટે દેશનામાં વર્ષોચ્છારનો જ નિષેધ કરી દીધો. ગમે તેમ એક પ્રકારનો અવાજ ખોપરી વગેરેમાંથી માત્ર નીકળ્યા કરે છે તેમ કહ્યું. પણ આ કલ્પના બિલકુલ યુક્તિબાહ્ય છે. આવી રીતે ગમે ત્યાંથી નીકળેલો અવાજ આપ્ત-પુરુષનો જ છે એમ કોણ કબૂલ કરશે? એવા અવાનો અનુવાદ કરનાર અવિરતિના સ્વામી દેવોના અનુવાદની સત્યતા ઉપર વિશ્વાસ કેટલો? વળી ભગવંતની વાણી! અન તેને ગણધર ભગવંતો પણ ન સમજી શકે! એ ય કેટલું વિચિત્ર! કદાચ કોઈ દિગંબર પોતાના વિધાનનો બચાવ કરવા એમ કહે કે, ભગવાન તો અચિન્ય પુણ્યના સ્વામી છે. એ પુણ્યથી નિષ્પન્ન થતાં એમના અથિશયોના ચમકારા આપણા મગજથી ન સમજી શકાય તેવા હોય છે.” તો તે વાત શાસ્ત્રયુક્ત સાબિત કરવી જોઈએ - પણ તેમ તો થઈ શકે તેમ નથી. (૩) ઉપરની વિચારણામાં એ વાત પણ કહી છે કે મહાદેવ તેમને કહેવાય કે, “જેમનું કહેલું શાસ્ત્ર એ મોક્ષમાર્ગનું પ્રતિપાદક હોય.'' - આ વિધાનમાં “કહેલા શાસ્ત્રની” જે વાત કરી છે તેનાથી કોઈએ નહિ કહેલું એવું શાસ્ત્ર એની અસંભવિતતા, અને એવા શાસ્ત્રની અપ્રામાણિકતા સૂચિત થઈ જાય છે. જગતમાં અનેક વચનરચનાઓ થઈ છે તેમાંથી એક પણ એવી વચનરચના બતાવો કે જેને કોઈ પણ પુરુષ રચી જ ન હોય. અને છતાં એ વચનોની રચનાસ્વરૂપે કોઈ ગ્રંથ તૈયાર થઈ ગયો હોય! જો એક પણ વચનરચનામાં (ગ્રંથરચનામાં) એવો અપવાદ મળતો નથી કે તે પૌરુષેય ન હોય તો વચનરચના સ્વરૂપ વેદ પણ અપૌરુષેય કેમ હોઈ શકે રે! આ
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy