SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી સંસારના બનતાં સાધનો હેય જ. આ એક જ મુખ વિચાર છે, સર્વજ્ઞના શાસ્ત્રનો. મોક્ષના એક જ ઉદ્દેશને બર લાવવાની વાત કરે, સર્વજ્ઞનું. ૬૫ સ્વર્ગના સુખમય સંસારને માત્ર પામવા માટેની અને નારકોના દુઃખમય સંસારને માત્ર ટાળવા માટેની એ સુકની આયતા અને એ દુઃખની હેયતાની વાતો એ કદી ન કરે. એમ કરવા જતાં નિર્ણીત કરેલા પરમ-સુખના ઉદ્દેશ સાથે વિરોધ આવી જાય. આવો કોઈ પૂર્વાપર વિરોધાભાસ સર્વજ્ઞ મહાદેવના શાસ્ત્રમાં ન હોય. આવા શાસ્ત્રના નિરુપક જ મહાદેવ કહેવાય. શાસ્ત્રમાં જેમ આવો પૂર્વાપર વિરોધ નામનો દોષ હોય છે તેમ કષ-છેદ અને તાપ પરીક્ષામાંતી શાસ્ત્રને પસાર ન થવા દેનારા દોષો હોય છે. આવા દોષોથી સર્વથા મુક્ત શાસ્ત્રના નિરુપક મહાદેવ કહેવાય. અહીંથી આગળ વધતાં પહેલાં આપણે ઉપસંહારરૂપે કેટલીક મહત્ત્વની વાતોનું ફલિત જોઈ લઈએ. (૧) મહાદેવ તે જ કહેવાય જેઓ સદાચારથી યુક્ત જ હોય. આ વિધાનથી એ વાત ફલિત થાય છે કે શિષ્ટ માણસોને ન છાજે તેવા કોઈ પણ આચારવાળા કોી પણ માનવના કે કોઈ પણ દેવના આત્માને મહાદેવ કહી શકાય નહિ. (૨) આ શ્લોકનાપરામર્શમાઁ બીજી વાત એ થઈ કે અમુક પ્રકારનું (મોક્ષનું પ્રતિપાદન કરતું વગેરે પ્રકારનું) શાસ્ત્ર જેમણે કહ્યું હોય તે મહાદેવ કહેવાય. આ વિધાન ઉપરથી દિગંબર મતની એક માન્યતાનું ખંડન થઈ જાય છે. દિગંબરો એમ માને છે કે તીર્થંકરો બોલતા નથી. જ્યારે તેઓ સમવસરણમાં બેસે છે ત્યારે તેમના મુખમાંથી એક પ્રકારનો મસ્તકના ઉપરના ભાગમાંથી અવાજ નીકળ્યા જ કરે છે. આ અવાજને ગણધર ભગવંતો પણ સમજી શકતા નથી. સમજે છે માત્ર દેવો. તેથી તેઓ જ તેનો અનુવાદ કરીને લોકોને જણાવે છે કે ભગવંતે આ વાત કરી. દિગંબરો કેવલી ભગવાનને આહાર માનતા નથી. જો આહાર માને તો પાત્ર
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy