________________
વિર ! મધુરી વાણી તારી
એક ભાવાત્મક વસ્તુની પૂર્વની અને પછીની અવસ્થા છે, તે વસ્તુનું દ્રવ્યસ્વરૂપ છે.
આ જ રીતે મહાદેવસ્વરૂપ પામેલા વીતરાગ-સર્વજ્ઞત્વાદિ ગુણયુક્ત આત્મા તે ભાવ મહાદેવ છે.
તેમનું મ...હા...દેવ.વ એવું જે નામ તે નામ મહાદેવ છે. તેમની પ્રતિમા કે તેમનું ચિત્ર વગેરે તે સ્થાપના મહાદેવ છે. તેમની પૂર્વની સાધનાની કે ગૃહવાસની અવસ્થા તે દ્રવ્ય મહાદેવ છે. જે વસ્તુનો ભાવનિક્ષેપો સુંદર તેનાં બાકીના ત્રણેય નિક્ષેપા સુંદર.... જેનો ભાવનિક્ષેપો અસુંદર, તેના બાકીના ત્રણે ય નિક્ષેપ અસુંદર.
એક દેશપ્રેમી માણસને જો જવાહરલાલ નહેરુ ગમે છે. (ભાવનિક્ષેપે) તો તે દેશપ્રેમી માણસને તેમનું નામ, તેમનું ચિત્ર અને તેમની બાલ્યાવસ્થાદિના જીવનની વાતો પણ એટલી જ ગમે છે.
એ જ માણસને ગાંધીજીના ખૂની ગોડસે ઉપર (ભાવનિક્ષેપા ઉપર) ભયંકર ધિક્કા જાગે છે માટે તેને ગોડસેનું નામ સાંભળતા ત્રાસ થાય છે, તેનું ચિત્ર જોતાં જ તેને ચીરી નાંખે છે. તેના બાલ્યજીવનની વાતો સાંભળવામાં તેને કદી રસ આવતો નથી.
જેવો તમારો ભાવનિક્ષેપા માટે ભાવ. તેવો જ બાકીના તેના ત્રણ નિપા ઉપર ભાવ.
જો ભાવનિક્ષેપાના મહાદેવ પૂજ્ય છે તો તેમનું નામ પણ પૂજ્ય છે. તેમનું ચિત્ર કે તેમની પ્રતિમા પણ પૂજ્ય છે. તેમનું (દ્રવ્યાત્મક) સાધના-જીવન પણ પૂજ્ય
છે.
અફસોસની વાત છે કે કેટલાક લોકો ભાવનિક્ષેપાને પૂજ્ય માનીને તેના નામનિક્ષેપાને પૂજ્ય માનવા છતાં સ્થાપનાદિનિક્ષેપાને પૂજ્ય માનતાં નથી.
જેવું નામ (અક્ષરસસ્વરૂપ) જડ છે તેવી જ સ્થાપના (ચિત્ર ગત કે મૂર્તિસ્વરૂપ) જડ છે. છતાં આ બેમાં એક જડને પૂજ્ય માનીને બીજાને જડ કહીને પૂજ્ય ન માનવાનો આગ્રહ કે રાખવામાં આવે છે તે સમજાતું નથી.
જો માટીની ગાય (સ્થાપના-ગાયો દૂધ દેતી નથી તો ગા. ય... એવું નામ પણ ક્યાં દૂધ દે છે?