SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ IL વીર ! મધુરી વાણી તારી મૂર્ખનું કાર્ય છે. આત્માના અસ્તિત્વને મૂળમાંથી ઉડાડનારા જીવોની જેમ એ વૃક્ષના થડ, ડાળી, પાંખડીઓને ઉડાડીને પણ જીવનારા ભોગરસિક આત્માઓ આ જગતમાં છે જ. હકીકતમાં તો તે બધાય આત્માના અસ્તિત્વની જ વિરુદ્ધમાં પોતાનો મત આપતા હોય છે પણ કેટલીક વાર એવો સીધો વિરોધ એમના વર્તુળમાં એમની જ સ્થિતિ કફોડી કરી મૂકે એ ભયથી સીધો મૂળમાં કુઠારાઘાત ન કરતાં એ વૃક્ષની શાખા, પ્રશાખાઓ ઉપર કરતાં રહે છે. એમાંના કેટલાક “આપ સલામતી૩ વિચારતાં જીવો આત્માની સર્વજ્ઞતાનો ઈન્કાર કરવાના ખુન્નસમાં ચડી જાય છે. એમનું કહેવું એ છે કે આત્મા ભલે હોય પણ એ ક્યારેક સર્વજ્ઞ બની શકે તે વાતમાં કશું વજૂદ નથી. જે જમાનામાં સર્વજ્ઞોનું અસ્તિત્વ કહેવાય છે તે જમાનાના અસર્વજ્ઞોમાંના કોઈને પણ કદી એવું પ્રત્યક્ષ થયું નથી કે જેથી અમુક વ્યક્તિ સર્વજ્ઞ કહી શકાય. જે વસ્તુ એ જમાનાની આંખોએ પણ જોઈ નથી તેને આજે કેમ માની શકાય? સર્વજ્ઞને ન માનતાં આ અત્યંત ભોગરસિક આત્માઓ એમ પણ કહે છે કે ભગવાન મહાવીર વગેરેને સર્વજ્ઞ માનવામાં અમને કોઈ વાંધો નથી પણ તે વખતે સર્વજ્ઞ એટલે શું તેનો આપણે વિચાર તો કરવો જ પડશે. શાસ્ત્રોમાં તો કહ્યું કે, સર્વજ્ઞ એટલે સર્વકાળના સર્વદ્રવ્યોને અને સર્વપર્યાયોને જ જાણે તે “સર્વજ્ઞ' આ વાત તો ખૂબ જ વિચારણીય છે. આવું તો શી રીતે બને? આપણું જ્ઞાન કેટલું છે તે આપણે ક્યાં નથી જાણતા? તો વધી વધીને કોઈ આત્માનું જ્ઞાન કેટલું વધી શકે ? સર્વદ્રવ્યોનું અને સર્વપર્યાયોનું જ્ઞાન થવું એ તો તદ્દન અશક્ય વિધાન છે. હા. ભગવાન જિનેશ્વરો વિશિષ્ટજ્ઞાની હતા તે બેશક કબૂલ કરવું રહ્યું અને તેથી તેમના તે વિશિષ્ટજ્ઞાની હતા તે બેશક કબૂલ કરવું રહ્યું અને તેથી તેમના તે વિશિષ્ટ જ્ઞાનનો મહિમા બતાવવા પૂરતી આવી અતિશયોક્તિની અલંકારિક વાતો કરીએ તેમાં કશું ખોટું નથી. પણ હકીકત તો તેવી ન જ હોઈ શકે. “સર્વજ્ઞ એટલે તે તે વિષયના સંપુર્ણ “જ્ઞાનવાળા' એટલું જ વિધાન સમુચિત ગણાય. અધ્યાત્મવાદીઓ આત્માના વિષયમાં ખૂબ વિશાળ જ્ઞાન ધરાવતા હતા માટે તેમને આત્મજ્ઞાનના સર્વજ્ઞ જરૂર કહી શકાય. અમદાવાદના ખ્યાતનામ ડોક્ટર સુમંત શાહ શરીર અંગેની પરિપૂર્ણ માહિતીવાળા છે માટે તે વિષયના તેમને સર્વજ્ઞ કહી શકાય.
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy