________________
વીર ! મધુરી વાણી તારી
ગુજરાત ભારતમાં છે, અમદાવાદ પણ ભારતમાં છે એમ કેમ કહેવાય!
આખું વૃક્ષ પડી ગયું એમ કહ્યા પછી ડાળીઓ પણ પડી ગઈ એમ કહેવું જરૂરી ખરું ?
૩૧
આખું પુસ્તક બળી ગયુંએમ કહ્યા પછી એના પૃષ્ટો બળી ગયા એમ કહેવું આવશ્યક ખરું ?
ઈધન શાંત થઈ ગયું એમ કહ્યા પછી અગ્નિ શાંત થઈ ગયાનું વિધાન કોઈ વિધાનસભામાં જરૂરી ગણાય ખરું?
રાગ ભળી ગયો તો દ્વેષ બળી જ ગયો. એ કાંઈ કહેવું ન પડે.
આત્માઓએ પોતાના આત્મામાંતી રાગભાવને બાળી નાંખ્યો એ આત્માઓએ દ્વેષભાવને બાળી જ નાંક્યો.
અગ્નિ શાંત થાય અને ધુમાડો શી રીતે જીવતો રહે !
અને જ્યાં રાગ અને દ્વેષના ભયંકર ભાવો સળગી ઊઠ્યા ત્યાં એક જ અન્તર્મુહૂર્તમાં ત્રિકાળજ્ઞાની - સર્વજ્ઞ બની જ જવાય. જે કોઈ અજ્ઞતા છે એ રાગાદિભાવોને આભારી છે. જેવા રાગાદિભાવો નાશ પો છે તેવું જ્ઞાન પ્રગટે છે.
રાગાદિભાવના પૂર્ણનાશમાં જ્ઞાન પૂર્ણતાની ટોચને પામી જ જાય.
જે સર્વજ્ઞ બને તે જગતના સર્વ પદાર્થોને, અને તેના સર્વ પર્યાયોને જાણે.ય અને જે સર્વ દ્રવ્ય પર્યાયને જાણે તે સર્વ દ્રવ્ય પર્યાયને જુએ તો ખરા જ. માટે જ રાગ-દ્વેષ વિનાના સર્વજ્ઞ બને એમ કહેવાથી જ તેઓ સર્વદર્શી બને એ વાત સમજી જ લેવાય.
સર્વજ્ઞ હોય તે અવશ્ય સર્વદર્શી હોય. એકબીજા વિના ક્યાંય ન રહી શકે
તેવા આ બે ગુણો છે.
તોપાન જાગ્યું છે આજે સર્વજ્ઞત્વની જ્ઞાન-મર્યાદાના નિર્ણયનું.
ભોગીઓની અને અંધ અશ્રદ્ધાળુઓની દુનિયામાં! પણ આપણને તે દુનિયા સાથે કોઈ નિસ્બત નથી.
આપણે તો ચાલવું છે શાસ્ત્ર-ચક્ષુથી શાસ્ત્રજ્ઞોની દુનિયામાં! આપણે પરિકમ્મા કરવી છે શ્રદ્ધાના રોકેટથી શાસ્ત્રોના વિશ્વની!
એની બહારના જગત સાથે આપણને શી નિસ્બત!