________________
વીર ! મધુરી વાણી તારી
મિનારા-દિલના અને દિમાગના!
આનંદે ‘ઉછલી પડયા'તા અંતર ગુંડાઓના!
પરાયા ઉપર પોતીકાની સીલ-પટ્ટી મારી દીધાનાસ્તો !
૨૯
જ્યાં રાગ ત્યાં જ રમખાણ.. જ્યાં રાગ ત્યાં જ રામાયણ...
રાગમાં ૨મી જતાં રામને રામાયણ સર્જવી જ રહી! રાગનો ભાવ! અને રામાયણનો અભાવ! અસંભવ...
આ હકીકત નજરે ચડી ચૂકી હતી ભગવાન િિરભદ્રસૂરિજીની!
માટેસ્તો તેમણે ખૂબ મંથન કર્યું રોષના દાવાનળોને શમાવવાના ઉપાયનું..
અને... યોગશતકમાં આપણને જણાવ્યું કે જો રોષના દિમાગે તમે અકળાઈ જતાહો, જીવનમાં ‘ત્રાહિ મામ્’ પોકારી જતા હો, અને તમારે એ ત્રાસથી બચવું જ હોય તો મેં મથીને મેળવ્યો છે એક રામબાણ ઉપાય. એ છે....
જ્યાં રોષ થતો હોય ત્યાં અન્યત્વ ભાવનાથી ભાવિત થઈ જાઓ.
એ ચીજ હું નથી. મારથી સાવ જુદી છે. મારે અને તેને શી નિસ્બત ?
પેલા વૃક્ષને વાગતી કુહાડી મારામાં ક્યાં ઘા ઉત્પન્ન કરે છે? કેમકે એ વૃક્ષ જૂદું અને હું જુદો ! જ્યાં જુદાઈ છે ત્યાં કોઈ સંબંધ નથી.
જ્યાં અભેદનું ભ્રાન્ત ભાન છે ત્યાં જ સંબંધની કલ્પના છે.
વૃક્ષ જૂદું... તેમ સહુ જુદા. મારો પુત્ર પરિવાર, રે! મારો દેહ સુદ્ધા જુદો ! એમને કાંઈક થાય અને મને તેની અસર થાય એ સંભવિત જ નથી.
મમત્વની ભાવના રોષને જન્માવે છે.
અન્યત્વની ભાવના રોષને શમાવે છે.
જ્યાં મમત્વનો રાગ નથી ત્યાં રોષની શક્યતા જ નથી.
આપણા કેવા ભયાનક અહિત-શત્રુ છે રાગાદિભાવો !
જ્યાં નિસ્બત છે ત્યાં સહેજમાં સર્વસ્વ ન્યોચ્છાવર!
જ્યાં નિસ્બત નથી ત્યાં આગના ભડકા પ્રગટ થાય ત્યારે ય તબિયત શાંતિ!
એકને ત્યાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તે પુરુષની વિધવા બનતી પત્ની છાતીફાટ રુદન કરીને આંખો સુજાવી નાંખે છે. મધરાતે પણ એ રડતી જ રહે છે. અને... એ મૃત્યુ પામેલા માણસ સાથે જેને કશી જ નિસ્બત નથી તેવો એક માણસ એ દિવાલને