________________
વીર ! મધુરી વાણી તારી
બાર ભાવના સર્વાંગી દર્શનની જનેતા છે. ધર્મ-શુક્લ ધ્યાનની ભૂમિકાએ જવા માટે તો જગતના એકાંગી દર્શનથી કલ્પાઈ ગયેલા આકર્ષણોના રાગને મંદ પાડવા જ રહ્યા. નહિ તો એ રાગ જોર કરી જાય અને ધ્યાનની ઊંચી ભૂમિકામાં બેઠેલા આત્માનો પગ ખેંચતા જ રહે.
૧૯૪
એ રાગને મંદ પાડે છે બાર ભાવનાઓનું સર્વાંગી જગદર્શન.
ધર્મધ્યાનાદિને પામવા માટે ય ભાવનાઓ, અને તૂટતાં ધર્મધ્યાનાદિને સાંધવા માટે ય ભાવનાઓ.
જ્યાં રાગ-શત્રુ માથું ઊંચકે ત્યાં જ ભાવનાનો ગોલીબારથી તેને ઠાર ક૨વો જ રહ્યો.
મૈત્ર્યાદિભાવનાઓનું જલ-બળ :
જગતનું સ્વરૂપ દર્શન કરાવીને જગતથી મુક્ત કરાવનાર જેમ બાર ભાવનાઓ છે તેમ જીવાત્માઓ સાથે સંબંધ જોડી આપનારી મૈત્ર્યાદિ ચાર ભાવનાઓ છે. બે ય એકબીજાની પૂરક છે.
જીવાત્મા સાથે મૈત્ર્યાદિન જામતા હોય તો જગદર્શન ઠગારું માની લેવું. અને જીવાત્મા સાથેના મૈત્યાદિને ઠગારા માની લેવા જો તે પછી સર્વાંગી જગદર્શન ન થતું હોય તો.
આવા વંચક સંબંધોએ જ જીવનમાં ઘણી વિષમતાઓ ઊભી કરી છે. આત્માના અનંત સુખના બંધ બારણે જ જીવને ઊભો રાખી દીધો છે.
મૈત્ર્યાદિભાવના તે જ સાચી કે જે જગતનું સર્વાંગી દર્શન કરાવીને જગતથી વિરાગ જન્માવી જાય.
જગતનું સર્વાંગી દર્શન પણ તે જ સાચું કે જે જીવમાત્ર પ્રત્યે મૈત્યાદિનો રાગભાવ જન્માવી જ જાય.
જીવરાગ જડવિરાગમાં પરિણમ્યા વિના ન રહે.
જડવિરાગ જીવરાગમાં પરિણમ્યા વિના ન રહે. ફરી કહું છું બે ય ભાવનાઓબાર અને ચાર ઃ એક બીજાની પૂરક છે.
એકબીજા વિના જીવી ન શકે તેવા એમનાં જીવન છે.
જીવાત્માના અનંત સુખનું ધનોતપનોત કાઢી નાંખનાર, એને કુત્તો બનાવીને ચાર પગે ચલાવનાર, એને ગઢો બનાવીને હોંચી-હોંચીના બૂમો પડાવનાર, એને