________________
૧૯૦
વીર ! મધુરી વાણી તારી
સંક્ષિપ્તાર્થ શ્લોકાનુવાદ कर्मेन्ध्नं समाश्रित्य दढा सद्भावनाऽडहूतिः।
धर्मध्यानाग्निना कार्या दीक्षितेनाग्निकारिका ।।१।। દીક્ષિત આત્માએ એ જ અગ્નિકારિકા આચરવી જોઈએ જેમાં (૧) કર્મનું ઈન્જન હોય, (૨) સદ્ભાવનાની જોરદાર આહૂતિ આપવાની હોય અને (૩) ધર્મ શુક્લ ધ્યાનનો અગ્નિ હોય.
दीक्षा मोक्षार्थमाख्याता ज्ञानघ्यानफलं स च। शास्त्र उक्तो यत: सूत्रं शिव धर्मोत्तरे ह्यदः ||૨|| पूजया विपुलं राज्यमग्निकार्येण सम्पदः।
तप: पापविशुद्धयर्थ ज्ञानं ध्यानं च मुक्तिदम् Tીરૂ II દીક્ષિતની દીક્ષા માત્ર મોક્ષ પ્રાપ્તિ માટે છે. આ મોક્ષ પ્રાપ્તિને શાસ્ત્રમાં જ્ઞાન અને ધ્યાનનું ફળ કહ્યું છે. શેવધર્મમાં એવું વિધાન છે કે (સાવદ્ય) પૂજાથી વિપુલ રાજ્યની પ્રાપ્તિ થાય છે અને (દ્રવ્ય) અગ્નિકારિકાથી સમ્પત્તિ પ્રાપ્ત થાય છે. જે તપ છે તે પાપોની શુદ્ધિ કરે છે અને જ્ઞાન ધ્યાન મોક્ષપદ આપે છે.
पापं च राज्यसम्पत्सु सम्भवत्यनघं ततः ।
न तद्वत्वोरुपादानमिति सम्यग्विचिन्त्यतात्म् ।।४।। દ્રવ્યપૂજન અને અગ્નિકારિકાથી પ્રાપ્ત થતાં રાજ્ય અને વૈભવોમાં પુષ્કળ પાપો થાય છે માટે દીક્ષિત આત્માએ રાજ્ય અને વૈભવો પ્રાપ્ત કરવા માટે દ્રવ્યપૂજન કે અગ્નિકારિકાનો આશ્રય લેવો : જોઈએ નહિ. આ વાત સહએ સારી રીતે વિચારવી.
विशुद्धिश्चास्य तपसा न तु दानादिनैव यत् । तदियं नान्यथा युक्ता तथा चोक्तं महात्मना ।।५।। धमर्थि यस्य वित्तहा तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्
|૬ IT કદાચ કોઈ કહે છે. રાજ્યાદિવેભવોથી થતાં પાપોને રાજ્યાદિસંપત્તિના દાનાદિથી ધોઈ શકાય છે. તો આ વાત બરોબર નથી. પાપની શુદ્ધિ તો તપથી જ થાય, દાનાદિથી નહિ.
એટલે દીક્ષિત માટે દ્રવ્યાગ્નિકારિકા બિલકુલ ઉચિત નથી. હા. એનઆ કરતાં તદ્દન જુદી જાતની ભાવ-અગ્નિકારિકા જ દીક્ષિત માટે ઉચિત છે.