________________
વીર ! મધુરી વાણી તારી
૧૭૧
આત્મપરિણતિના આઠ પુષ્પો
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ગુરુભક્તિ, જ્ઞાન અને તપ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજાના આ આઠ પુષ્પો છે.
જિનાજ્ઞાનવિધ્ધ આ આઠ આત્મ-પરિણતિઓ છે. અહિંસા: પહેલું પુષ્પ પ્રમાદને કારણે થતી પ્રાણની હિંસાનો અભાવ તે અહિંસા.
સ્થૂલ અપ્રમત્તભાવ સાથે સાવધાની પૂર્વકની જિનપૂજાદિની હિંસા તે હિંસા જ નથી.
અને હિંસા ન થવા છતાં પ્રમાદ સાથે ચાલવાની ક્રિયા પમ હિંસા છે. વસ્તુતઃ જીવનો પ્રમાદભાવ એ જ હિંસા છે. અને જીવનો અપ્રમત્તભાવ તે જ અહિંસા છે.
જે હિંસાથી દુર્ગતિ મળે તે જ હિંસા, હિંસા છે. સદ્ગતિનું દાન કરતી લઘુત્તરાદિ જિનાજ્ઞાગર્ભિત હિંસાએ વસ્તુતઃ અહિંસા જ છે.
જ્યાં જિનાજ્ઞાનું અમૃતબિંદુ પડે છે ત્યાં હિંસાનું ઝેર નિર્બળ બની જાય છે.
જ્યાં જિનાજ્ઞાનું અમૃતજળ છંટાતું નથી ત્યાંની અહિંસાનું ઉપવન ઊભું ને ઊભું સુકાઈ જાય છે.
આ રીતે જિનાજ્ઞાની મહત્તા દરેક આંતરપુષ્પમાં લગાડી દેવી સત્ય : બીજું પુષ્પઃ
આત્મ એ જ સત્ છે. આત્માના માટે જે કોી હિતકર વચન-જગતની દૃષ્ટિએ સાચું કે જૂઠું - તે બધું ય સત્ય જ છે.
અને આત્માને નુકશાન પહોંચાડનારી સઘળી સાચી-ખોટી ભાષા અસત્ય છે.
આથી જ તો ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી બોલાતું સાચું પણ વચન મૃષાવચન કહેવાય છે.
ધૂળના ભેળને કારણે નિર્મળ પણ જળ મલિન કહેવાય છે તેમ.
અસ્તેય ઃ ત્રીજું પુષ્પ :
ચોરી ચાર જાતની છે. (૧) તીર્થકરની આજ્ઞા બહારની ચીજ-એનો માલિક